અમેરિકી શેર બજારમાં સતત બીજા દીવસે Bloodbath, 2,231 અંક ગબડ્યો Dow Jones, ભારતીય માર્કેટનું શું થશે ?
US stock Makret: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દુનિયાભરના તમામ દેશો પર ટેરિફ અનેકગણો વધારવાની અસર હવે દેખાઈ રહી છે. વિશ્વભરના બજારોમાં વેચવાલી શરૂ થઈ ગઈ છે. અમેરિકન બજારો પણ આનાથી અછૂતા નથી. શુક્રવારે સતત બીજા દિવસે યુએસ બજારો મોટા ઘટાડા સાથે બંધ થયા. ઉલ્લેખનિય છે કે એસએંડપી 500 માં 6 ટકા નો ઘટાડો નોધાયો. સાથે જ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 2,231 પોઇન્ટ ઘટ્યો. એસએંડપી 500 ફેબ્રુઆરીના પોતાના રેકોર્ડથી લગભગ 16% ઘટ્યો છે. નાસ્ડેક -948.58 પોઈન્ટ અથવા 5.73% ઘટીને 15,602.03 પર બંધ થયો. ઉલ્લેખનીય છે કે એસએંડપી 500 અને નૈસ્ડેક માં માર્ચ 2020 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ હાઉ જોન્સમાં ઓક્ટોબર 2020 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે, કોવિડ-19 રોગચાળા પછી આ સૌથી મોટો ઘટાડો છે.
ચીને જવાબી ટેરીફ લગાવ્યો
ચીનના નાણા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે તે 10 એપ્રિલથી તમામ યુએસ માલ પર 34% નો વધારાનો ટેરિફ લાદશે, કારણ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની માલ પર અનેક ગણો ટેરિફ લાદ્યો છે. ચીને બદલો લેવા માટે ટેરિફ લાદ્યા બાદ ટેરિફ યુદ્ધે વૈશ્વિક નાણાકીય બજારોને હચમચાવી દીધા છે અને આર્થિક મંદીની આશંકા વ્યક્ત કરી છે. ઇન્વેસ્ટમેન્ટ બેંક JPMorgan એ આગાહી કરી છે કે વર્ષના અંત સુધીમાં વૈશ્વિક અર્થતંત્ર મંદીમાં પ્રવેશવાની શક્યતા છે.
વિશ્વમાં મોઘવારીનું સંકટ
યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે શુક્રવારે જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા ભારે ટેરિફ લાદવાથી અમેરિકામાં ફુગાવો અને મંદી વધવાનું જોખમ છે. આ વિકાસને ધીરો ધીમી કરી શકે છે. વેપાર યુદ્ધને કારણે માત્ર અમેરિકા જ નહીં, સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા મંદીના ભય હેઠળ છે. ટેરિફથી માલના ભાવ વધશે, જેનાથી ફુગાવો વધશે. આનાથી માંગ ઘટશે, જે મંદીનો માર્ગ મોકળો કરશે.
ભારતીય બજાર પર શું પડશે અસર?
છેલ્લા ઘણા મહિનાઓથી ભારતીય બજારમાં પરિસ્થિતિ સારી નથી ચાલી રહી. રોકાણકારોના લાખો રૂપિયાનું નુકસાન થયું છે. હવે વિશ્વભરના બજારોમાં મંદીનો દોર ચાલુ છે. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળશે. ભારતીય બજારમાં પણ મોટો ઘટાડો ચાલુ રહી શકે છે. આવી સ્થિતિમાં, નાના રોકાણકારો માટે બજારથી દૂર રહેવું વધુ સારું રહેશે. બજારના નિષ્ણાતો કહે છે કે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. બજારને સુધરવા દો. તે પછી જ નિર્ણય લો.