ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (14:09 IST)

આ ચાથી કરવું દિવસની શરૂઆત પોતાને રાખો રોગોંથી દૂર

તમે તુલસી, દૂધ, બ્લેક ટી કે લીંબૂની ચા તો ઘણી વાર પીધી હશે પણ આજે અમે તમને ડુંગળીની ચા વિશે જણાવવા જઈ રહ્યા છે. તમે પણ વિચારશો કે ડુંગળીની ચા પણ કોઈ પીવે છે પણ તમને જણાવીએ કે તેનો સેવન આરોગ્ય માટે ખૂબ  ફાયદાકારી હોય છે. એંટીઓક્સીડેંટ, વિટામિંસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, મિનરલ્સ અને ફાઈબર જેવા ગુણોથી ભરપૂર ડુંગળીની ચા દરરોજ સેવન બ્લ્ડ શુગર, અનિદ્રા અને હાઈપરટેંશનની સાથે કેંસર જેવી ઘાતક રોગો માટે રામબાણ સારવાર છે. તો ચાલો જાણીએ ડુંગળીની ચા બનાવવાના ઉપાય અને તેની ફાયદ વિશે. 
ડુંગળીની ચા બનાવવાની રેસીપી 
આ હર્બલ ચાને બનાવવા માટે સૌથી પહેલા ડુંગળીને ધોઈને ઝીણા સમારી લો. ત્યારબાદ 10 મિનિટ માટે એમજ મૂકી દો જેથી તેનો પાણી નિકળી જાય. હવે એક પેનમાં એક કપ પાણીમાં ડુંગળી નાખી તેને હળવા તાપ પર ગર્મ કરીને ઠંડા થવા માટે મૂકો. ત્યારબાદ 1 કપમાં ગાળી તેમાં લીંબૂનો રસ અને મધ મિક્સ કરો. 
રોગોથી બચવા માટે દરરોજ ખાલી પેટ આ ચાનો સેવન કરવું. 

ડુંગળીની ચા પીવાના ફાયદા 

1. કેંસરનો ઉપચાર 
શોધ પ્રમાણે, ડુંગળીની ચા કેંસર સેલ્સને વધારવાથી રોકે છે. ડુંગળીમાં  ઘુલનશીલ ફાઈબર હોય છે. જે ત્વચા અને આંતરડાથી ટૉકસિનને બહરા કાઢવા કેંસર સેલસને વધવાથી રોકે છે. તેનાથી તમે કેંસરના ખતરાથી બચ્યા રહો છો. 
2. શરદી ખાંસીથી રાહત
બદલતા મૌસમમં શરદી-ખાંસીની સમસ્યા જોવા મળે છે પણ આ ચાનો સેવન તમે એનાથી બચાવે છે. ડુંગળીમાં રહેલ ફાયટોકેમિલ્ક્લ્સ અને વિટામિન  C રોગ પ્રતિરોધક ક્ષમરા વધારે છે, જેનાથી તમે શરદી ખાંસી અને બીજા સંક્રમણથી બચ્યા રહો છો. 
 
3.હાઈપરટેંશનથી છુટકારો
ડુંગળીમાં રહેતાં ક્વેરેસ્ટિન નામનો પિગ્મેંટ, બલ્ડ ક્લાટ બનવાથી રોકે છે. જેનાથી હાઈપરટેંશનનો ખતરો ઓછું થઈ જાય છે. તે સિવાય લોહીના ક્લાટ જામવાથી રોકવામાં પણ આ ચા ખૂબ ફાયદાકારી હોય છે. 

4. અનિદ્રાની સમસ્યા 
જો તમને ઉંઘ ન આવવાની સમસ્યા છે તો દરરોક 1 કપ ડુંગળીની ચાનો સેવન કરવું. તેમાં રહેલ ઔષધીય ગુણ તમારા મગજને શાંત કરશે, જેનાથી તમારી અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે. તેના માટે દિવસમાં એક વાર ડુંગળીની ચાઓ સેવન જરૂર કરવું. 
5. ડાયબિટીજથી રાહત 
ડુંગળીમાં ગ્લૂકોજની પ્રતિક્રિયાને સારું કરવા ઈંસુલિન રેજિટેંટને વધારે છે. જેનાથી ટાઈપ 2 ડાયબિટીજનો ખતરો ઓછુ થઈ જાય છે. તે સિવાય આ ચાને પીવાથી શરીરમાં LDL એટલે કે બેડ કોલેસ્ટ્રોલ લેવલ પણ નહી વધે છે. 

6. પેટની સમસ્યાઓ 
ડુંગળીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેથી આ ચાનો સેવન તમારી પેટથી સંકળાયેલી સમસ્યાઓ જેમ કે કબ્જ, એસિડીટી, પેટમાં દુખાવો અને પેટમાં ગેસ બનવું જેવે સમસ્યાઓને દૂર કરે છે. 
 
7. વજન ઓછું કરવામાં મદદગાર 
આ ચાનો સેવન વજન ઓછુ કરવામાં મદદગાર હોય છે. જો તમે તેજીથી કેલોરી બર્ન કરવા ઈચ્છો છો તો રોજ ખાલી પેટ આ ચાનો સેવન કરવું. થોડા જ સમયમાં તમને અંતર જોવાશે.