શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 3 જૂન 2022 (00:28 IST)

Food Poisoning - ફૂડ પોઈઝનિંગ ના લક્ષણો અને ઉપાય

Home Remedies to Treat Food Poisoning- વરસાદમાં આરોગ્ય માટે ખૂબ જ સંવેદનશીલ મૌસમ છે. વાર-વાર તરસ લાગતા વ્યક્તિ જ્યાં કઈક પણ ઠંડુ પી લે છે તેમજ આ મૌસમમાં ખાદ્ય પદાર્થોના પણ ખરાબ થતા સમયે નથી લાગતું. ફૂડ પાઈજનિંગનો (Food Poisoning)  ખતરો હમેશા બન્યો રહે છે.
 
તેથી તમારા આરોગ્યના પ્રત્યે પૂર્ણ સાવધાની રાખવી જોઈએ. ફૂડ પાઈજનિંગ સૌથી મોટુ લક્ષણ આ છે કે જો ભોજન પછી એક કલાકથી 6 કલાકના વચ્ચે ઉલ્ટીઓ શરૂ થઈ જાય છે તો માની લો કે વ્યક્તિને ફૂડ પાઈજનિંગની ફરિયાદ છે. તેને તરત નિયંત્રણમાં કરવા માટે ડાક્ટરથી સલાહ લેવી જોઈએ.
 
આ મુખ્યત: બેક્ટીરિયા યુક્ત ભોજન કરવાથી હોય છે. તેનાથે બચાવ માટે કોશિશ આ હોવી જોઈએ કે ઘરમાં સાફ-સફાઈથી નબેલુ તાજુ ભોજન જ કરવુ જોઈએ. જો બહારનો ભોજન ખાઈ રહ્યા છો તો ધ્યાન રાખો કે ખુલ્લામાં રાખેલા ખાદ્ય પદાર્થ અને એકદમ ઠંડા અને અસુરક્ષિત ભોજનનો સેવન ન કરવું.
 
આ દિવસો બ્રેડ, પાવ વગેરેમાં જલ્દી ફંગસ લાગી જાય છે તેથી તેને ખરીદતા સમયે કે ખાતા સમયે તેની નિર્માણ તારીખ જરૂર જોઈ લેવી. ઘરમાં રસોડામાં સાફ-સફાઈ રાખવી. ગંદા વાસણનો ઉપયોગ ન કરવું. ઓછા એસિડ વાળા ભોજન કરવું.
 
નિમ્ન કારણોથી ફૂડ પાઈજનિંગનો ખતરો વધારે હોય છે.
1. ગંદા વાસણમાં ભોજન કરવાથી
2 વાસી અને ફંગસયુક્ત ભોજનથી
3. ઓછુ પાકેલુ ભોજન ખાવાથી બચવું.
4. માંસાહાર ન કરવું.
5. ફ્રીઝમાં ખૂબ સમય સુધી રાખેલા ખાદ્ય પદાર્થના ઉપયોગ થી બચવું.