1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 21 મે 2021 (16:40 IST)

સુકી ખાંસીથી રાહત મેળવવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય, 2-3 દિવસમાં જોવા મળશે અસર

શરદી ખાંસી થવી અમા તો સામાન્ય વાત છે, પણ આ બદલતી ઋતુમાં સુકી ખાંસી તમારે માટે પરેશાનીનુ કારણ બની શકે છે. ખાસ કરીને જયારે કોરોના મહામારીનો ખતરો દરેક બાજુ  હોય. આવામાં ખાંસી-શરદીથી પણ ડર લાગે છે કે ક્યાક આ કોરોનાની શરૂઆત તો નથી. અનેક આયુર્વેદિક ઉપચાર અને નુસ્ખા તમને સુકી ખાંસીમાંથી જલ્દી રાહત અપાવી શકે છે. આવો જાણી સુકી ખાંસીને ઠીક કરવાના આવા જ અનેક કારગર ઘરેલુ ઉપાય 
 
- સૂકી ખાંસીને ઠીક કરવાના ઘરેલુ ઉપાયમાં તમને જોઈએ બસ માત્ર મધ, આદુ અને મુલેઠીની જરૂર છે. આ બધી વસ્તુઓ દરેક રસોડામાં સરળતાથી મળી જાય છે. આ બધી વસ્તુઓમાં હીલિંગ પ્રોપર્ટી રહી હોવાથી આ તમારી ખાંસી સાથે ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે. 
 
- આદુમાં રહેલ ફ્લેગમ એન્ટિમાઇક્રોબાયલ ગુણથી ભરપુર છે, મધમાં ડેમ્યુલસેંટ ગુણ હોવાને કારણે આ ગળાને રાહત આપે છે. આ ઉપરાંત મુલૈઠી ખાંસીને ઠીક કરવામાં પણ મદદ કરે છે. 
 
- સુકી ખાંસી મટાડવા માટે સૌ પહેલા તમારે એક ચમચી મધ સાથે  થોડો  આદુનો રસ પીવો.  ત્યારબાદ તમારા મોઢામાં મુલેઠીની નાનકડી દંડી મુકી દો. . આ કરવાથી તમારું ગળું સુકાશે નહીં. મુલેઠી સુકા ગળા અને ખરાશથી રાહત આપવાનુ કામ કરે છે. 
 
- આ ઉપરાંત 2 ચમચી મઘને અડધો ગ્લાસ કુણા પાનીમાં મિક્સ કરીને પીવો. રોજ આ નુસ્ખાને અપનાવવાથી ખાંસીમાં આરામ મળે છે. 
 
-પીપળાની ગાંઠને વાટીને તેમા એક ચમચી મઘ મિક્સ કરીને ખાઈ લો. રોજ આવુ કરો. તેનાથી થોડાક જ દિવસમાં સુકી ખાંસી ઠીક થશે 
 
-આદુનો એક ટુકડો વાટીને તેમા એક ચમચી મીઠુ મિક્સ કરી લો અને તેને દાઢ નીચે દબાવી લો. તેનો રસ ધીરે ધીરે મોઢાની અંદર જવા દો. 5 મિનિટ સુધી તેને મોઢામાં મુકો પછી કોગળા કરી લો. 
 
- મુલેઠીની ચા પીવાથી પણ સુકી ખાંસીમાં આરામ મળે છે. તેને બનાવવા માટે બે મોટી ચમચી મુલેઠીની સુકી જડને એક મગમાં મુકો અને આ મગમાં ઉકળતુ પાણી નાખો. 10-15 મિનિટ સુધી વરાળ લો. દિવસમાં બે વાર તેને લો.