1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 24 ફેબ્રુઆરી 2024 (18:50 IST)

શું આ ફૂલ તમારા ઘરમાં પણ અસ્થમા, એલર્જી, શરદી વગેરે રોગો ફેલાવે છે? તેલંગાણા બાદ ગુજરાતમાં પણ પ્રતિબંધ

plant ban
plant ban
એક છોડ જે સજાવટ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આ છોડ શિયાળા દરમિયાન ફૂલો ઉત્પન્ન કરે છે, જે ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ આ જ ફૂલ લોકોને બીમાર કરી રહ્યું છે. ગુજરાત સરકારે તાત્કાલિક કોનોકાર્પસ પ્લાન્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ સુંદર દેખાતો છોડ વાસ્તવમાં લોકોને માત્ર બીમાર જ નથી બનાવી રહ્યો પરંતુ પર્યાવરણ પર પણ તેની વિપરીત અસર થઈ રહી છે.
 
ગુજરાત સરકારે કહ્યું છે કે હવે કોનોકાર્પસનું વાવેતર રહેણાંક કે જંગલ વિસ્તારમાં કરી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે  તાજેતરના સમયમાં, ગુજરાતમાં ગ્રીન કવર વધારવા માટે, કોનોકાર્પસના રોપા માત્ર જંગલોમાં જ નહીં પરંતુ રહેણાંક વિસ્તારોમાં પણ આડેધડ રીતે વાવવામાં આવ્યા હતા.
 
કોનોકાર્પસ શું છે?
 
કોનોકાર્પસ  મેન્ગ્રોવ પ્રજાતિનો છોડ  છે અને મોટાભાગે ઉષ્ણકટિબંધીય(Tropical)  વિસ્તારોમાં જોવા મળે છે. તેના છોડ 1 થી 20 મીટર ઊંચા થાય છે. પાંદડા ખૂબ અણીદાર હોય છે. શિયાળા દરમિયાન, આ છોડ હળવા સફેદ અને લાલ ફૂલો ઉત્પન્ન કરે છે અને તે કસ્ટર્ડ સફરજન જેવો દેખાય છે. આ છોડ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં શણગાર તરીકે વાવવામાં આવે છે.
 
ગુજરાત સરકારે શું કહ્યું?
 
ગુજરાત સરકારના અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.કે. ચતુર્વેદીએ જારી કરેલા પરિપત્રમાં કોનોકાર્પસ પર પ્રતિબંધ મૂકવા અને તેની વૃદ્ધિને નિયંત્રિત કરવાનું કહેવામાં આવ્યું છે. આ પરિપત્ર જણાવે છે કે, 'સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોનોકાર્પસ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર ખૂબ જ પ્રતિકૂળ અસર કરે છે. કોનોકાર્પસ ફૂલો શિયાળામાં અને આસપાસના વિસ્તારોમાં ફેલાય છે.
 
આ છોડ કયા રોગો ફેલાવે છે?
 
ગુજરાત સરકારે તેના સર્કુલરમા  આ છોડને કારણે થતા રોગોનો પણ ઉલ્લેખ કર્યો છે. સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે કોનોકાર્પસ ફૂલને કારણે શરદી, અસ્થમા અને એલર્જી જેવી બીમારીઓ થઈ રહી છે. આ સિવાય તેના પાંદડા પ્રાણીઓ માટે પણ હાનિકારક છે. પ્રાણીઓને પણ નુકસાન થઈ શકે છે.
 
ગટર-પાઈપ લાઇન પણ જોખમમાં  
 
સર્કુલરમાં વધુમાં જણાવાયું છે કે આ છોડના મૂળ જમીનમાં ખૂબ જ ઊંડે સુધી જાય છે અને ઝડપથી ફેલાય છે. જેના કારણે ટેલિકોમ્યુનિકેશન લાઈનો, ડ્રેનેજ સિસ્ટમ અને પાણી પુરવઠાની લાઈનો પણ જોખમમાં મુકાય છે.
 
 
તેલંગાણાએ પણ પ્રતિબંધ મૂક્યો છે
 
તમને જણાવી દઈએ કે ગુજરાત બીજું રાજ્ય છે જેણે કોનોકાર્પસ પર પ્રતિબંધ મૂક્યો છે. થોડા સમય પહેલા તેલંગાણાએ પણ આ પ્રજાતિના છોડ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. કોનોકાર્પસ એકમાત્ર એવો છોડ નથી કે જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય. તાજેતરમાં દિલ્હીમાં વિલાયતી કીકર અને કેરળમાં નીલગીરી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.