ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 31 ઑગસ્ટ 2022 (09:12 IST)

મિખાઇલ ગોર્બાચોફ : સોવિયેટ સમયના અંતિમ નેતાનું નિધન

પૂર્વ સોવિયેટ સંઘના અંતિમ નેતા મિખાઇલ ગોર્બાચોફનું નિધન થયું છે. તેમણે 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો હતો. તેઓ 1985થી 1991 સુધી સોવિયેટ સંઘની સત્તામાં હતા.
 
ગોર્બાચોફે પોતાના સમયમાં બે સુધારા કર્યા હતા, જેણે સોવિયેટ સંઘનું ભવિષ્ય બદલી નાંખ્યું હતું. આ બે સુધારા હતા, 'ગ્લાસનોસ્ત' એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને 'પેરેસ્ત્રોઇકા' એટલે કે પુનર્ગઠન.
 
'ગ્લાસનોસ્ત'ની નીતિ બાદ સોવિયેટ સંઘમાં લોકોને સરકારની ટીકા કરવાનો અધિકાર મળ્યો હતો. આ એક એવી બાબત હતી જેની ત્યાંના લોકોએ અગાઉ ક્યારેય કલ્પના પણ કરી નહોતી.
 
મિખાઇલ ગોર્બાચોફ 1985માં યુએસએસઆરના રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યાર બાદ તેમણે દેશના દરવાજા દુનિયા મોટી ખોલી દીધા હતા અને મોટા પાયે સુધારા કર્યા હતા.
 
જોકે, આ સુધારાઓને કારણે જ સોવિયેટ સંઘનું વિઘટન થયું હતું. પોતાના તમામ પ્રયત્નો બાદ પણ તેઓ વિઘટન રોકી શક્યા નહીં અને આ રીતે આધુનિક રશિયાનો જન્મ થયો હતો.