1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 11 ઑક્ટોબર 2021 (17:09 IST)

અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કારનુ એલાન, ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એંગ્રિસ્ટ અને ગુડ્ડો ડબલ્યૂ ઈમ્બેન્સને મળ્યો એવોર્ડ

અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર(Nobel Prizes)ની જાહેરાત કરવામાં આવી છે. ડેવિડ કાર્ડ(David Card), જોશુઆ ડી એંગ્રિસ્ટ(Joshua D Angrist) અને ગુઈડો ડબલ્યુ ઈમ્બન્સ(Joshua D Angrist) ને આ વર્ષે આર્થિક વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર(Nobel Prize in Economic Science)એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ સમિતિએ ડેવિડ કાર્ડને શ્રમ અર્થશાસ્ત્રમાં તેમના પ્રયોગસિદ્ધ યોગદાન માટે અડધા પુરસ્કાર આપ્યા અને બાકીના અડધા સંયુક્ત રીતે જોશુઆ ડી'એંગ્રિસ્ટ અને ગુઈડો ડબલ્યુ. ઈમ્બેન્સને કારણ સંબંધોના વિશ્લેષણમાં તેમના મેથોડોલોઝિકલ યોગદાન માટે આપવામાં આવ્યો છે. 

સ્વીડિશ એકેડેમીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ વર્ષના પુરસ્કાર વિજેતા ડેવિડ કાર્ડ, જોશુઆ એંગ્રિસ્ટ અને ગુઈડો ઈમ્બેન્સે અમને માર્કેટ બજાર વિશે નવી સમજ આપી છે અને કુદરતી પ્રયોગોમાંથી કયા કારણો અને અસરના તારણો કાઢી શકાય છે તે બતાવે છે." તેમનો અભિગમ અન્ય વિસ્તારોમાં ફેલાયો છે અને પ્રયોગસિદ્ધ સંશોધનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.એકેડેમીએ જણાવ્યું હતું કે સામાજિક વિજ્ઞાનમાં ઘણા મોટા પ્રશ્નો કારણ અને અસરથી સંબંધિત છે. અપ્રવાસ વેતન અને રોજગારના સ્તરને કેવી રીતે અસર કરે છે? લાંબા શિક્ષણ વ્યક્તિની ભાવિ આવકને કેવી રીતે અસર કરે છે?