1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 4 માર્ચ 2013 (11:57 IST)

જલંધરમાં સ્કૂલ બસ ટ્રક સાથે અથડાતા 11 બાળકોના મોત

P.R
જલંધરમાં નકેદર વિસ્તારમાં આવેલા ઝહિર ગામે એક સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં બસમાં બેઠેલા 11 બાળકોના મોત નીપજ્યા છે. આ દર્દનાક અકસ્માત નકોદર નજીક થયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર આ અકસ્માતમાં અન્ય અનેક બાળકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલો મળ્યા છે. જ્યારે સ્કૂલ બસના ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું છે.

પોલીસ અધિકારી રાજેન્દ્રસિંહે જણાવ્યુ હતુ કે સાત બાળકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને ચાર બાળકોના હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બસ નકોદર તરફ જઈ રહી હતી. ઘાયલોને નકોદર અને જલંધરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમ્યાન બે બાળકોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેઓને લુધિયાણાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.