1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

સુહાગરાતે વરરાજાં રોમાંસના સપના જોતા હતા અને દુલ્હને આપ્યો પુત્રને જન્મ !!

P.R
નવવધૂ સાથે રોમાન્સનાં સપનાં સજાવી રહેલા વરરાજાનાં સપનાં એ સમયે ચકનાચૂર થઇ ગયાં કે જ્યારે સુહાગરાતની સેજ પર દુલ્હનને પ્રસવપીડા થવા લાગી અને જોતજોતામાં જ પ્રસવપીડા બાદ નવોઢાએ એક મૃત બાળકને જન્મ આપી દીધો. વરરાજાના ઘરમાં જેવી આ વાતની જાણ થઇ, જાણે કે તોફાન આવી ગયું.

આ ઘટના સિકંદરાબાદના ખુર્જા મહોલ્લાની છે. અહીંની એક યુવતીનાં લગ્ન સિકંદરાબાદના યુવક સાથે થયાં હતાં. નિકાહ થયા બાદ યુવતી સાસરે પહોંચી હતી અને રવિવારની રાત્રે સાસરી પક્ષના લોકો ખુશીમાં વ્યસ્ત હતા અને એ જ સમયે સુહાગરાતની શૈયા પર યુવતીને પ્રસવપીડા થવા લાગી હતી.

પંચાયતમાં થયા છૂટાછેડા...
સાસરી પક્ષે દર્દને સામાન્ય સમજીને સ્વાસ્થ્ય પરીક્ષણ માટે તબીબને ઘરે બોલાવી લીધા હતા. તબીબ તપાસ કરે એ પહેલાંજ નવોઢાએ પુત્રને જન્મ આપી દીધો, જે બાળક મૃત હતું. શ્વસુર પક્ષે અફડાતફડીમાં દુલ્હનના બનેવીને બોલાવી લીધો અને પંચાયત બેસાડવામાં આવી હતી. પંચાયતમાં સહમુતિથી છૂટાછેડાની વિધિ કરવામાં આવી અને યુવતીને તેના બનેવીની સાથે મોકલી દેવામાં આવી હતી.

સંબંધો થયા કલંકિત...
યુવતીની માતાનું લગભગ દોઢ વર્ષ અગાઉ અવસાન થઇ ચૂક્યું છે. તે પછી મોટો બનેવી યુવતીને પોતાના ઘરે ખુર્જા લઇ આવ્યો હતો. યુવતીનો આરોપ છે કે, તેનો બનેવી તેનું શારીરિક શોષણ કરતો હતો. યુવતીએ જણાવ્યું કે, તે જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના બનેવીએ ઉતાવળમાં વિવાહીત યુવક સાથે તેના નિકાહ કરાવી દીધા હતા.