શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: કાનપુર , શનિવાર, 25 ઑક્ટોબર 2008 (14:08 IST)

કોંગ્રેસ આતંકવાદને પ્રોત્સાહન આપે છે !

વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી પ્રવિણભાઇ તોગડીયાએ આજે કોંગ્રેસ પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી આકરા પ્રહારો કર્યા હતા.

ડો. તોગડીયાએ આજે પત્રકારો સમક્ષ કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ જેહાદી આતંકવાદને પ્રોત્સાહન આપી રહી છે.

તેમણે કહ્યું કે હિન્દુ પહેલીથ જેહાદી આતંકદવાદનો શિકાર બની રહ્યા છે અને સિમી જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવવાને બદલે હવે બજરંગ દળ જેવા હિન્દુ સંગઠનો ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યા છે.

ડો. તોગડીયાએ કહ્યું કે, આવનાર લોકસભાની ચૂંટણીમાં હિન્દુઓને બલિના બકરા બનાવવામાં આવી રહ્યા છે. વિહિપ નેતા મહારાષ્ટ્ર તથા બિહારની ઘટનાઓની નિંદા કરતાં કહ્યું હતું કે, ભાષા અને પ્રાન્તવાદ દેશના હિતમાં નથી.