1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 24 નવેમ્બર 2008 (13:13 IST)

દસ હજાર દેરાસરોમાં 18 અભિષેક પુજા

દેશભરમાં શાંતિ બની રહે તેમજ દેશની પ્રગતિ માટે જૈન શ્રાવકે આજે ગુજરાતભરના શતાબ્દી પૂરી કરી ચૂકેલા દસ હજાર જેટલા દેરાસરોમાં અઢાર અભિષેક પૂજા કરવામાં આવી હતી. જેનું આયોજન અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ દ્વારા કરવામાં આવ્યુ હતું.

દેશની શાંતિ માટે એક જૈન શ્રાવક દ્વારા દેશભરના શતાબ્દી પૂરી કરી ચૂકેલ દેરાસરોને રાજ્યવાર અલગ-અલગ દિવસોએ એક સાથે અઢાર અભિષેક પુજા કરવાનો નિર્ણય કરેલ છે.

ગુજરાતભરમાં આવેલ દસ હજાર જીનાલયોમાં આજે ભવ્યાતિભવ્ય શણગાર સાથે 18 અભિષેક પુજા કરવામાં આવી હતી. જેમાં લાખો જૈનોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. વિવિધ જૈન સંઘોએ સ્વામી વાત્સલ્યનું આયોજન કર્યુ હતું. જેનો લાખો જૈન-જૈનતરોએ લાભ લીધો હતો.

ગુજરાત બાદ મહારાષ્ટ્ર, રાજસ્થાન, અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં શતાબ્દી પૂર્ણ કરી ચૂકેલ દેરાસરોમાં 18 અભિષેક કરવામાં આવનાર છે.