Last Modified: અમદાવાદ , મંગળવાર, 17 માર્ચ 2009 (20:15 IST)
બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ
P.R
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ધો.10 તથા 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. જેમાં અંદાજે 12 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. પરીક્ષાનો આજે પ્રથમ દિવસ હોઇ પોતાના વ્હાલસોયાને પરીક્ષા સ્થળ સુધી મુકવા માટે વાલીઓ મોટી સંખ્યામાં જોવા મળતા હતા. તો બીજી બાજુ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય એ માટે પોલીસ સહિતનો સઘન બંદોબસ્ત કરાયો હતો.