ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (16:57 IST)

અચૂક ઔષધિ છે જાયફળ, આયુર્વેદ મુજબ જાણો તેના ફાયદા

જાયફળ એક એવી જડી છે જે અનેક સમસ્યાઓમાં ખૂબ જ લાભદાયક સાબિત થઈ છે. આયુર્વેદ મુજબ જાયફળ એંટીઓક્સિડેટ અને એંટી બૈક્ટેરિયલ ગુણોને કારણે પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવે છે. 
 
પાચન સંબંધી વિકારોમાં કારગર-ગેસ બનવા કે પેટ ફૂલવા જેવી સમસ્યાઓના ઈલાજ માટે બે ચમચી જાયફળ પાવડર અને એક ચોથાઈ ચમચી આદુના પાવડરનુ મિશ્રણ બનાવો.  ભોજન કરવાના થોડા સમય પહેલા તેનુ 1/8 ચમચી પાવડર હળવા ગરમ પાણી સાથે લો. 
 
3-4 નાની ઈલાયચી, સૂંઠ પાવડર અને એક ચપટી જાયફળ નાખીને હર્બ ચા પીવી લાભકારી છે.  
 
- ઝાડાની સારવારમાં એક ચમચી ખસખસ, બે મોટી ચમચી ખાંડ, અડધી ચમચી ઈલાયચી અને જાયફળ વાટી લો. દર બે કલાકમાં એક ચમચી તૈયાર પાવડરનુ સેવન કરો.  
 
- ઉલટી જેવુ લાગવુ અને અપચાની સ્થિતિમાં એક ચમચી મધ સાથે 3-4 ટીપા જાયફળનુ તેલ મિક્સ કરીને સેવન કરવાથી આરામ મળે છે. 
 
- શરદી ખાંસીને દૂર ભગાડવાનો આ જૂનો ઈલાજ છે. એક કપ ગરમ પાણીમાં 1/4 ચમચી જાયફળ મિક્સ કરી પીવી કે ચા બનાવીને પીવી લાભકારી છે. 
 
- રાખો સાવધાની - જાયફળ ગરમ પ્રકૃતિની હોવાને કારણે સીમિત માત્રામાં રોજ 3-5 ગ્રામ જાયફળનુ સેવન કરવુ જ સારુ છે. આ ઉપરાંત સેવન એકાગ્રતા અને સ્ફૂર્તિની કમી જેવી સમસ્યાઓને જન્મ આપી શકે છે.  તેનાથી પેટનો દુખાવો, ઉલટી જેવુ થવુ કે ગભરાટ થઈ શકે છે.  તેના અધિક સેવનથી એલર્જી, દમા, કોમા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.