શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : બુધવાર, 23 જાન્યુઆરી 2019 (14:05 IST)

હવે આખી દુનિયાના વ્હાટસએપ વપરાશકર્તા 5 લોકોને જ મોકલી શકશે એક સંદેશ

ઈંસ્ટેંટ મેસેંજર એપ વ્હાટસએપએ ભારત પછી આખી દુનિયાના વપરાશકર્તા માટે એક સંદેશ પાંચ લોકોને જ મોકલવાની સીમા નક્કી કરી નાખી છે. મેસેંજર એપએ 
 
જુલાઈમાં ભારતીય વપરાશકર્તા માટે આ સીમા નક્કી કરી હતી જેથી અફવાહ અને ફર્જી ખબરોના પ્રસાર પર અંકુશ લાગી શકે. 
 
ફેસબુકના સ્વામિત્વ વાળી કંપનીએ સોમવારે એક બ્લાગમાં લખ્યું કે તેનાથી વ્હાટસએપ વપરાશકર્યા કોઈ સંદેશ તેમના સગાઓને જ મોકલશે. એપના નવા વર્જનને નવી સીમાના મુજબ અપડેટ કરી શકાય છે. પહેલા વ્હાટસએપ ઉપભોક્તા એક સંદેશ 20 લોકોને મોકલી શકતા હતા. દુનિયાભરમાં વ્હાટસએપના 1.5 અરબ વપરાશકર્યા છે. તેમાં સૌથી વધારે વપરાશકર્તા ભારત, બ્રાજીલ અને ઈંડોનેશિયામાં છે. 
 
વ્હાટસએપએ જણાવ્યું કે સીમા નક્કી કર્યા પછી પરીક્ષણ સમયના સમયે સંદેશ ફારવર્ડ કરવાની સંખમાં 25 ટકા કમી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર અફવાહ અને ફર્જી ખબરને ફેલાવવાને લઈને કંપનીને ખૂબ ફટકાર લગાવી હતી. સાથે જ ઠોસ પગલા નહી લેતા સખ્ત કાર્યબાહીની ચેતવણી પણ આપી હતી.