શુક્રવાર, 31 ઑક્ટોબર 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Updated : મંગળવાર, 31 ડિસેમ્બર 2019 (12:33 IST)

વર્ષનો અંતિમ દિવસ - કરી લો આ ઉપાય...પૂરી થશે મનોકામનાઓ

વર્ષનો અંતિમ દિવસ
જૂના વર્ષ સાથે બધી અંતિમ ઢગલો ઈચ્છાઓ અને ખરાબ યાદો જોડાયેલ હોય છે. આપણે સારી યાદોને બનાવી રાખવાની છે અને ખરાબ આદતોને ભૂલી જવાનુ છે.  આ દિવસે જો આપણે કેટલીક પ્રકારના કાર્ય કરીએ તો મન અને જીવનમાંથી કડવી વસ્તુઓ મટી જાય છે સાથે જ આવનારો વર્ષ ખુશીઓથી ભરાય જાય છે. આ ખાસ કામ 31 ડિસેમ્બરની રાત સુધી કરી લેવુ જોઈએ.  આ વર્ષના પહેલા દિવસે જ કરી લેવુ જોઈએ. 
 
જૂના વર્ષના અંતિમ દિવસે શુ કરવુ જોઈએ ?
 
- ઘરની સંપૂર્ણ સાફ સફાઈ કરવી જોઈએ અને જો શક્ય હોય તો ઘરને સજાવવુ પણ જોઈએ 
- કોઈને કોઈ રૂપમાં ભગવાનને યાદ કરવા જોઈએ 
- ભલે ભજન કરો ભલે કીર્તન કરો આ સ્તુતિ કરો 
- આ દિવસે ગરીબને વસ્ત્ર અને ખાવા પીવાની વસ્તુઓનુ દાન કરવુ જોઈએ 
- આ દિવસે ચમકદાર અને સુંદર રંગના કપડા ધારણ કરો 
- કાળા રંગના વસ્ત્રો પહેરવાથી દૂર રહો 
 
વર્ષના અંતિમ દિવસે શુ ન કરવુ જોઈએ 
 
- ઘરને ખાલી છોડીને આમાતેમ્ન ન ફરવુ 
- માસ મદિરા અને ઉધમથી પરેજ કરો 
- કોઈની સાથે વિવાદ ન કરો 
-બની શકે તો કર્જની લેવડ દેવડથી બચો 
 
જૂના વર્ષના અંતિમ દિવસે અને નવા વર્ષના પહેલા દિવસે મનોકામના પૂર્તિ માટે શુ કરવુ ?
 
- ધન અને સંપન્નતા માટે ઘરમાં રોશની કરો 
-કર્જ અને કેસની મુક્તિ માટે ઘરમાં ફુલોનુ તોરણ લગાવો 
- સંતાન પ્રાપ્તિ માટે કે સંતાનની સમસ્યા માટે ફુલોનો છોડ લગાવો 
- નોકરી વેપાર કે રોજગાર માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. ગરીબોને ભોજન કરાવો