શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2024 (10:25 IST)

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદનુ નિધન

V Srinivasa Prasad Demise
V Srinivas Prasad passed away- પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચામરાજનગરના ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદનું રવિવારે રાત્રે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. શ્રીનિવાસ પ્રસાદ છેલ્લા ચાર દિવસથી આઈસીયુમાં દાખલ હતા. તેમણે 76 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ભાજપના દિગ્ગજ નેતા વી શ્રીનિવાસે ચામરાજનગર લોકસભા બેઠક પરથી સાત વખત ચૂંટણી જીતી હતી.

મોડી રાત્રે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેઓ છેલ્લા 4 દિવસથી ICUમાં દાખલ હતા. ચામરાજનગરમાં 26મી એપ્રિલે જ મતદાન થયું હતું.