સંબંધિત સમાચાર
- Who is Atishi Marlena: કોણ છે આતિશી માર્લેના જેમણે અરવિંદ કેજરીવાલ પછી બનાવાયા દિલ્હીના મુખ્યમંત્રી, જાણો બધુ જ
- Atishi- આતિશી હશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, કેજરીવાલે નામનો પ્રસ્તાવ મૂક્યો
- Arvind Kejriwal Resignation updates- કોણ બનશે દિલ્હીના નવા સીએમ? કેજરીવાલનું આજે રાજીનામું, રેસમાં આ નામો
- જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ
- જો તમને જેલમાં નાખવામાં આવે તો રાજીનામું ના આપો, સરકાર ચલાવો, CM અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?
પીએમ મોદીની ડિગ્રી પર કરેલી ટિપ્પણીના મામલામાં કેજરીવાલની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી છે.
વડા પ્રધાન મોદીની ડિગ્રીના મામલામાં કથિત ટિપ્પણી અંગે કેજરીવાલને આપવામાં આવેલા સમન્સને રદ્દ કરવાની માગણી ગુજરાત હાઇકોર્ટે ફગાવી હતી. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટના આ આદેશને રદ્દ કરવા
માટે સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલે અરજી દાખલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે પણ ફગાવી છે.
ન્યૂઝ ઍજન્સી એએનઆઈ અને પીટીઆઈ પ્રમાણે જસ્ટિસ ઋષિકેશ રૉય અને જસ્ટિસ એસ.વી.એન ભટ્ટીની બૅન્ચે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની અલગ બૅન્ચે આ જ મામલામાં આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે દાખલ
કરેલી અરજીને ફગાવી દીધી છે.
ગુજરાત હાઇકોર્ટે હાલમાં જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અને સંજયસિંહની સામે જાહેર કરાયેલા સમન્સને રદ્દ કરવાની માગણી ફગાવી દીધી હતી.અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ સામે ગુજરાત યુનિવર્સિટીએ કરેલી અરજીના આધારે સમન્સ જાહેર કરવામાં આવ્યું હતું.
