GST પર મોટો અપડેટ, મંત્રીઓની પેનલે 12% અને 28% સ્લેબ દૂર કરવાની મંજૂરી આપી
ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન, મંત્રીઓની પેનલ (GOM) એ 12% અને 28% સ્લેબ દૂર કરવાની મંજૂરી આપી છે.
તે જ સમયે, 5% અને 18% ના બે દર પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. હવે તેને અંતિમ દરખાસ્ત સાથે GST માં મોકલવામાં આવશે. એવું માનવામાં આવે છે કે GST કાઉન્સિલની મંજૂરી નિશ્ચિત છે. જે પછી તેની જાહેરાત કરવામાં આવશે.
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી 12% અને 28% સ્લેબ દૂર કરવાની જાહેરાત કરી હતી. જે પછી મંત્રીઓએ તેને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ બેઠક દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવા દરોની જાહેરાત બાદ સામાન્ય માણસને મોટી રાહત મળશે. આ સાથે, ખેડૂતો અને મધ્યમ વર્ગના પરિવારો અને નાના-મધ્યમ વ્યવસાય કરતા વેપારીઓને પણ રાહત મળશે.