સંબંધિત સમાચાર
- Dehradun Car Accident: રસ્તા પર પડેલા બે કપાયેલા માથાની સ્ટોરી, મિત્રની નવી ગાડી, પાર્ટી અને Sunroof ને લઈને જાણો અપડેટ્સ
- યુપીના અયોધ્યામાં ભયાનક માર્ગ અકસ્માત, 3 વાહનો વચ્ચે અથડાતા 3 લોકોના કરૂણ મોત, 15 ઘાયલ
- UP Crime - ઈટાવા સામુહિક હત્યાકાંડ - બાળકોના મોઢામાંથી ફેસ નીકળતો જોઈને માતાનો આક્રંદ, પહેલા મારુ ગળુ દબાવી દો...
- દેહરાદૂનમાં મોટો માર્ગ અકસ્માત, ટ્રક-ઇનોવા અથડામણમાં પાંચ વિદ્યાર્થીઓના મોત
- અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર સર્જાયો અકસ્માત
UP Accident, - ઝારખંડથી લગ્ન કરીને પરત ફરી રહ્યો હતો પરિવાર, કારની ટક્કરમાં વર-વધુ સહિત 7 લોકોના મોત; મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ
જિલ્લાના ધામપુર વિસ્તારમાં શનિવારે સવારે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. અહીં ગાઢ ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ધામપુરમાં દેહરાદૂન-નૈનીતાલ નેશનલ હાઈવે પર થઈ હતી. અહીં એક ઝડપી કારે ઓટોને પાછળથી જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઓટો ચાલક સહિત સાત લોકોના મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
VIDEO | Uttar Pradesh: Seven dead after a car collided with an auto in Bijnor.
— Press Trust of India (@PTI_News) November 16, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/0SECMMD38Y
લગ્ન બાદ પરિવારના સભ્યો ઘરે પરત ફરી રહ્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર ઓટોમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો ઝારખંડમાં લગ્ન કરીને પોતાના ગામ તિબરી પરત ફરી રહ્યા હતા. મૃતકોમાં ખુર્શીદ (65), તેનો પુત્ર વિશાલ (25), પુત્રવધૂ ખુશી (22), મુમતાઝ (45), રૂબી (32) અને બુશરા (10)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક ઓટો ડ્રાઈવરનું પણ મોત થયું છે. વિશાલના લગ્ન બાદ એક જ પરિવારના છ લોકો ઝારખંડથી તેમના ગામ ધામપુર તિબરી આવી રહ્યા હતા ત્યારે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ તમામ લોકો મુરાદાબાદમાં ટ્રેનમાંથી નીચે ઉતર્યા, ઓટો બુક કરી અને પોતાના ગામ જઈ રહ્યા હતા.
ક્રેટાએ મારી ટક્કર
ધામપુર નગીના માર્ગ પર ફાયર સ્ટેશન પાસે ક્રેટા કારે ઓટોને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે ઓટોમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના તમામ 6 લોકોના મોત થયા હતા. ઓટો ડ્રાઈવરનું પણ હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું. અકસ્માતમાં ઘાયલ ક્રેટામાં સવાર શેરકોટના રહેવાસી સોહેલ અલ્વી અને અમનને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસપી અભિષેક ઝા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘટનાની જાણકારી આપી.
સીએમ યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યું દુઃખ
સાથે જ યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્યને ઝડપી બનાવવા અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં યોગ્ય સારવાર માટે લઈ જવા સૂચના આપી છે. તેમજ ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની કામના કરી હતી.
#UPCM @myogiadityanath ने जनपद बिजनौर में सड़क हादसे में हुई जनहानि पर गहरा शोक व्यक्त किया है। उन्होंने मृतकों के शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है।
— CM Office, GoUP (@CMOfficeUP) November 16, 2024
मुख्यमंत्री जी ने संबंधित जिला प्रशासन के अधिकारियों को मौके पर पहुंचकर राहत कार्य में तेजी लाने और घायलों को…

