1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 28 માર્ચ 2025 (17:41 IST)

કેદારનાથ ધામમાં મોબાઈલ અને કેમેરા પર પ્રતિબંધ, મંદિર સમિતિએ બનાવ્યા કડક નિયમો

ચારધામ યાત્રા 2025
chardham yatra 2025: કેદારનાથ ધામમાં મંદિરની ત્રીસ મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન અને કેમેરા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રીલ અને વિડીયો બનાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મે મહિનામાં શરૂ થનારી કેદારનાથ યાત્રાને લઈને આ નિર્ણય લીધો છે.

કેદારનાથ યાત્રાના સફળ સંચાલન માટે રાજ્ય સરકાર, પોલીસ પ્રશાસન તેમજ શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ તૈયારીઓ કરી લીધી છે. કેદારનાથ ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા યાત્રાળુઓને વ્યવસ્થિત રીતે દર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
 
અહેવાલો અનુસાર, 2 મેથી શરૂ થનારી યાત્રા પહેલા કેદારનાથ ધામ મંદિરના 30 મીટરની અંદર મોબાઈલ ફોન અને કેમેરા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રીલ અને વીડિયો બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ મે મહિનામાં શરૂ થનારી કેદારનાથ યાત્રાને લઈને આ નિર્ણય લીધો છે.