1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 8 નવેમ્બર 2021 (08:57 IST)

Corona Updates- દિલ્હીમાં એક સપ્તાહમાં 30 કન્ટેન્ટ ઝોનમાં કોરોનાના કેસ વધવા લાગ્યા

રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. દિલ્હીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે કોરોનાના 47 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 33 દર્દીઓને રજા આપવામાં આવી હતી. જો કે રવિવારે કોઈ દર્દીનું મોત થયું નથી. જ્યારે છેલ્લા એક સપ્તાહમાં દિલ્હીમાં 30 કન્ટેન્ટ ઝોન વધારવામાં આવ્યા છે.
 
રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં 14,40,118 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી 14,14,662 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 25091 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે.
 
દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ દર 1.74 ટકા છે. વિભાગ અનુસાર, દિલ્હીમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 365 થઈ ગઈ છે. તેમાંથી 157 દર્દીઓ દિલ્હીની વિવિધ હોસ્પિટલમાં દાખલ છે. તે જ સમયે, 161 દર્દીઓ હોમ આઇસોલેશનમાં દાખલ છે.
 
1 નવેમ્બરના રોજ દિલ્હીમાં કુલ 86 સ્થળોને કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારથી તેમની સંખ્યા સતત વધી રહી છે. 7 નવેમ્બરે તેમની સંખ્યા વધીને 116 થઈ ગઈ છે.