શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 26 જૂન 2022 (11:01 IST)

અમરનાથ યાત્રા પર ચરમપંથી હુમલાનો ખતરો: સેના

કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા પર ચરમપંથી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
 
સેનાએ શનિવારે બૉર્ડરને અડીને આવેલી આઠ કિલોમીટર લાંબી ગુફા શોધી છે.
 
હિંદી દૈનિક હિંદુસ્તાન સાંબાના પોલીસ અધિકારી જી. આર. ભારદ્વાજને ટાંકીને લખે છે કે કેટલીક ગુપ્તા માહિતીના આધારે ખબર પડી છે કે ચરમપંથીઓ યાત્રાને ખલેલ પહોંચાડવા માટે બૉર્ડર પારથી ઘુસણખોરી કરવાનો કારસો ઘડી રહ્યા છે, જેના લીધે સતર્કતા વધારી દેવામાં આવી છે.
 
43 દિવસની અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ રહી છે. આ યાત્રા બે રસ્તા પરથી યોજાય છે. પહેલો રસ્તો દક્ષિણ કાશ્મીરના પહલગામમાં નુનવાનના પારંપરિક 48 કિલોમીટરનો અને બીજો રસ્તો મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં બાલટાલથી 14 કિલોમીટરનો છે.