1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 8 ડિસેમ્બર 2021 (19:14 IST)

ચીની સેનાના છક્કા છોડાવી રહી હતી ભારતીય સેના અને જનરલ રાવત સંભાળી રહ્યા હતા મોરચો, જાણો તેમની મોટી ઉપલબ્ધિઓ વિશે

બીપિન રાવત અમર રહે

ત્રણેય સેનાના સર્વોચ્ચ અધિકારી  (CDS) જનરલ બિપિન રાવત (chief of defence staff india)નુ કેરિયર શરૂઆતથી જ સોનેરી રહ્યુ છે. તેમના નામે એટલા બધા સન્માન છે કે તેને ગણવામાં થોડો સમય લાગશે. તેમની કારકિર્દીની શરૂઆત વિશે વાત કરીએ તો, 16 ડિસેમ્બર 1978ના રોજ 11મી ગોરખા રાઈફલની 5મી બટાલિયનમાં કમિશન્ડ થયેલા જનરલ રાવત એ જ યુનિટમાં તૈનાત હતા જેમાં તેમના પિતા હતા. જનરલ રાવત કાઉન્ટર ઈન્સર્જન્સી અને હાઈ-એલ્ટિટ્યુડ વોરફેરમાં કુશળતા ધરાવે છે અને દાયકાઓનો અનુભવ ધરાવે છે.
 
જનરલ રાવતની બટાલિયનને 1987માં સુમડોરોંગ ચુ વેલીમાં અથડામણ દરમિયાન ચીની પીપલ્સ લિબરેશન આર્મી સામે તૈનાત કરવામાં આવી હતી. વિવાદિત મેકમોહન લાઇન પરનો સ્ટેન્ડઓફ 1962ના યુદ્ધ પછી પ્રથમ લશ્કરી મુકાબલો હતો જેમાં રાવત આગેવાની કરી રહ્યા હતા. તેણે મેજર તરીકે જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં એક કંપનીની કમાન સંભાળી હતી. કર્નલ તરીકે, તેમણે કિબિથુ ખાતે વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે પૂર્વીય સેક્ટરમાં તેમની બટાલિયન 5મી બટાલિયન 11 ગોરખા રાઈફલ્સને કમાન્ડ કરી હતી..
 
ઉપલબ્ધિયો  વિશે
 
તેમની તાજેતરની સિદ્ધિઓને જોતાં, 17 ડિસેમ્બર 2016ના રોજ, ભારત સરકારે વધુ બે વરિષ્ઠ લેફ્ટનન્ટ જનરલ પ્રવીણ બક્ષી અને પી.એમ. હારિઝને પાછળ છોડીને તેમને આર્મી સ્ટાફના 27મા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે જનરલ દલબીર સિંહ સુહાગની નિવૃત્તિ પછી 27મા COAS તરીકે 31 ડિસેમ્બર 2016ના રોજ આર્મી સ્ટાફના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
 
જનરલ રાવત(chief of defence staff india) ફિલ્ડ માર્શલ સેમ માણેકશા અને જનરલ દલબીર સિંહ સુહાગ પછી તેઓ ગોરખા બ્રિગેડમાંથી આર્મી ચીફ બનનારા ત્રીજા અધિકારી છે. 2019 માં તેમની યુએસ મુલાકાત વખતે, જનરલ રાવતને યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી કમાન્ડ અને જનરલ સ્ટાફ કોલેજ ઇન્ટરનેશનલ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેઓ નેપાળ સેનાના માનદ જનરલ પણ છે. ભારતીય અને નેપાળની સેનાઓ તેમના નજીકના અને વિશેષ લશ્કરી સંબંધોને પ્રતિબિંબિત કરવા માટે એકબીજાના વડાઓને જનરલનો માનદ પદ આપવાની પરંપરા ધરાવે છે.
 
વિદેશમાં શાંતિ મિશન
 
MONUSCO (કોંગોનુ એક મિશન) ની કમાન સંભાળતી વખતે જનરલ રાવતે તેમની સેવાની સર્વોચ્ચ ભૂમિકા ભજવી હતી. કોંગોમાં તેની જમાવટના બે અઠવાડિયાની અંદર, બ્રિગેડને પૂર્વમાં મોટા હુમલાનો સામનો કરવો પડ્યો, જે માત્ર ઉત્તર કિવુ (ગોમાની પ્રાદેશિક રાજધાની)માં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સ્થિરતાને જોખમમાં મૂકી દીધુ. જનરલ રાવત  (chief of defence staff india) ના આદેશ હેઠળ ઉત્તર કિવુ બ્રિગેડને મજબૂત કરવામાં આવી હતી તેમનું અંગત નેતૃત્વ, હિંમત અને અનુભવ બ્રિગેડની સફળતા માટે ચાવીરૂપ હતા.
 
મ્યાંમારમાં સૈન્ય કાર્યવાહી 
 
જૂન 2015માં મણિપુરમાં યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ વેસ્ટર્ન સાઉથ ઈસ્ટ એશિયા (UNLFW) સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલામાં 18 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. ભારતીય સેનાએ સરહદ પારથી હુમલાનો જવાબ આપ્યો જેમાં પેરાશૂટ રેજિમેન્ટની 21મી બટાલિયનના એકમોએ મ્યાનમારમાં NSCN-K બેઝ પર હુમલો કર્યો. દીમાપુર સ્થિત III કોર્પ્સના ઓપરેશનલ કંટ્રોલ હેઠળ 21 પાર હતા, જે તે સમયે રાવત દ્વારા કમાન્ડ કરવામાં આવ્યા હતા. તેમના આદેશ હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી લશ્કરી કાર્યવાહીમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
 
ભારતના પહેલા સીડીએસ 
 
જનરલ બિપિન લક્ષ્મણ સિંહ રાવતનો (chief of defence staff india) જન્મ 16 માર્ચ 1958ના રોજ ઉત્તરાખંડના પૌડીમાં થયો અને તે ભારતીય સેનાના ચાર સિતારાજનરલ છે. તેઓ ભારતના પહેલા અને વર્તમાન ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ (CDS)છે. 30 ડિસેમ્બર 2019ના રોજ તેમને ભારતના પહેલા સીડીએસ 30 ડિસેમ્બર 2019ના તેમને ભારતના પહેલા સીડીએસના રૂપમાં નિમણૂક કરવામં આવ્યા અન એ 1 જાન્યુઆરી 2020થી પદભાર ગ્રહણ કર્યુ. સીડીએસના રોપમાં કાર્યભાર સંભાળતા પહેલા તેમને ચીફ ઓફ્સ સ્ટાફ કમિટીના 57માં અને અંતિમ અધ્યક્ષની સાથે સાથે ભારતીય સેનાના 26માં સેનાધ્યક્ષના રૂપમાં કાર્ય કર્યુ છે.