સંબંધિત સમાચાર
- પહેલગામ ઉગ્રવાદી હુમલા બાદ વડાપ્રધાન સાઉદી અરેબિયાનો પ્રવાસ છોડીને ભારત પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી
- Pahalgam Attack updates- પહલગામ ચરમપંથી હુમલામાં મૂળ સુરતના એક પ્રવાસીનું મોત
- પહેલગામ આતંકી હુમલા વચ્ચે એર ઈન્ડિયાએ કરી મોટી જાહેરાત, મુસાફરોને આપી આ મોટી રાહત
- પ્રવાસી પોતાનો વીડિયો બનાવી રહ્યો હતો, આતંકી ઘટના રેકોર્ડ થઈ ગઈ
- જમ્મુ-કાશ્મીર: પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત, 2 વિદેશી નાગરિકોએ પણ ગુમાવ્યા જીવ
પહેલગામ આતંકી હુમલામાં કાનપુરના યુવકનું મોત, આતંકીઓએ તેને માથામાં ગોળી મારી, પત્ની સાથે કાશ્મીર ગયો હતો
Kanpur youth dies in Pahalgam terror attack- જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં યુપીના કાનપુરના રહેવાસી શિવમ દ્વિવેદીનું મોત થયું હતું. આતંકીઓએ શિવમને માથામાં ગોળી મારી દીધી છે. તમને જણાવી દઈએ કે, શુભમના લગ્ન 12 ફેબ્રુઆરી 2025ના રોજ થયા હતા. તે તેની પત્ની અને અન્ય 11 લોકો સાથે કાશ્મીર ફરવા ગયો હતો. મૃતક તેની પત્ની સાથે ઘોડેસવારી કરીને પરત ફરી રહ્યો હતો, તે સમયે આતંકવાદીઓએ તેનું નામ પૂછ્યું અને તેને માથામાં ગોળી મારી દીધી. આ ઘટનામાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
તેનું નામ પૂછ્યા બાદ આતંકીઓએ તેને ગોળી મારી દીધી હતી
મૃતકના ભાઈએ આરોપ લગાવ્યો કે આતંકવાદીઓએ લોકોના નામ પૂછ્યા બાદ ગોળીબાર કર્યો અને તેને માથામાં ગોળી મારી હતી. તેણે જણાવ્યું કે ભાઈ તેની પત્ની સાથે પહેલગામમાં હતો. આ ઘટના પછી ભાભીએ મારા કાકાને ફોન કરીને બધી વાત કહી. હાલ તમામ પ્રક્રિયા બાદ મૃતદેહને મુક્ત કરવામાં આવશે. હુમલાની નિંદા કરતા ભાજપના ધારાસભ્ય પ્રશાંત ઠાકુરે કહ્યું કે પહેલગામમાં થયેલા દુ:ખદ અને ભયાનક હુમલાની સખત નિંદા કરવી જોઈએ.
कश्मीर के पलगम में एक और आतंकी हमला
— Tiger Raja Satire (@TigerRajaSinggh) April 22, 2025
आतंकियों ने धर्म पूछकर गोली मारी
हिंदुओं ये भाईचारे के चक्कर में मत रहो हिंदू उनके लिए सिर्फ चारा है
सेक्यूलर कहा मर गए ..?
pic.twitter.com/C3UD7Ozqeq
