સંબંધિત સમાચાર
- ગુજરાતમાં કાળઝાળ ગરમીએ તોડ્યો બે વર્ષ જૂનો રેકોર્ડ, જાણો કેવો રહેશે મોસમનો મિજાજ
- શોભાયાત્રા ઘર્ષણનો મામલોઃ હિંમતનગરમાં IG અને SP કક્ષાના અધિકારી તૈનાત, ખંભાતમાં રાયોટીંગના બે ગુના દાખલ
- આધ્યાત્મિક પરિમાણ સાથે, આસ્થાનાં કેન્દ્રો સામાજિક ચેતના ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે" : નરેન્દ્ર મોદી
- નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટના લીધે બનાસકાંઠા સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
- એલિયને મહિલાને ગર્ભવતી બનાવી
કોરોનાથી પણ ખતરનાક માનવસર્જિત બિમારી
WHO એ જણાવ્યું કે, વિશ્વભરમાં ઝડપથી વધી રહેલા વાયુ પ્રદૂષણના કારણે ઊભી થયેલી સમસ્યાઓના લીધે દર એક મિનિટે 13 લોકોના મોત થઈ રહ્યાં છે.
WHOએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે, 'સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે, જેના કારણે ફેફસાના કેન્સર, હૃદય સંબંધિત રોગો અને સ્ટ્રોક જેવા ગંભીર અને જીવલેણ રોગોનું જોખમ વધી રહ્યું છે. જેના કારણે દર મિનિટે હવાનું પ્રદૂષણ પણ સતત વધી રહ્યું છે. ઓછામાં ઓછાં 13 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું કે, વાયુ પ્રદૂષણ વિશ્વમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. સંસ્થાનું કહેવું છે કે, આસપાસના અને ઘરગથ્થુ વાયુ પ્રદૂષણના સંપર્કમાં દર વર્ષે 7 મિલિયનથી વધારે લોકો મૃત્યુ પામે છે.
