જમ્મુ-કાશ્મીરના નાગરોટામાં પાકિસ્તાને 15 થી વધુ મિસાઇલો છોડી, ભારતીય સેનાએ બધી મિસાઇલો હવામાં જ તોડી પાડી
પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીર પર હુમલો શરૂ કરી દીધો છે. સૌ પ્રથમ, પાકિસ્તાને ઉરીના ગોહાલન ગામને નિશાન બનાવ્યું, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. જમ્મુ એરપોર્ટ પર સાયરન વાગવા લાગ્યા છે. જમ્મુમાં ઘણી જગ્યાએ વિસ્ફોટ થવા લાગ્યા છે. સમગ્ર જમ્મુ અને સાંબામાં અંધારપટ છે.
અખનૂરમાં પણ થયો બ્લાસ્ટ
અખનૂરમાં બ્લેકઆઉટ વચ્ચે, ભારતીય વાયુ સંરક્ષણ દળોએ એક પાકિસ્તાની ડ્રોનને અટકાવતાં વિસ્ફોટોના અવાજો સંભળાયા.
પાકિસ્તાને છોડી મિસાઈલ, બધી નષ્ટ
પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના નાગરોટામાં 15 થી વધુ મિસાઇલો છોડી છે. ભારતીય સેનાએ તે બધાને હવામાં ઠાર માર્યા છે. રાજૌરીમાં એક ડ્રોન પણ તોડી પાડવામાં આવ્યું છે.
ઉમર અબ્દુલ્લાએ શેર કરી તસ્વીરો
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વિટર પર આ તસવીર શેર કરી અને લખ્યું, "જમ્મુમાં હવે અંધારપટ છે અને આખા શહેરમાં સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે." વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. તેમણે લખ્યું કે જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોના તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે કૃપા કરીને રસ્તાઓ પર ન આવો, ઘરે રહો અથવા નજીકના સ્થળે રહો જ્યાં તમે આગામી થોડા કલાકો સુધી આરામથી રહી શકો. અફવાઓને અવગણો, પાયાવિહોણી કે અપ્રમાણિત વાર્તાઓ ફેલાવશો નહીં અને આપણે બધા સાથે મળીને આનો સામનો કરીશું.