સંબંધિત સમાચાર
- ચંદ્રયાન-3એ શોધી કાઢી ચોંકાવનારી માહિતી
- PM Modi ISRO Visit Highlights : 23 ઓગસ્ટને 'નેશનલ સ્પેસ ડે' તરીકે ઉજવવામાં આવશે', ISRO ખાતે PM મોદીનું સંબોધન
- લૈંડર પરથી ચંદ્રની સપાટી પર આવી રીતે ઉતર્યુ પ્રજ્ઞાન રોવર, ઈસરોનો આ VIDEO જરૂર જુઓ
- Chandrayaan 3 Landing : ઈસરો પર શુભેચ્છાનો વરસાદ
- લેન્ડર વિક્રમમાંથી બહાર નીકળી રોવર પ્રજ્ઞાન નીકળ્યું 'મૂન વૉક'
Chandrayaan-3: ચંદ્ર પર રોવર પ્રજ્ઞાનની સામે આવ્યો મોટો ખાડો, ISRO એ આ રીતે પાર કર્યો અવરોધ
Pragyan rover
Chandrayaan-3 News ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ સોમવારે જણાવ્યુ કે ચંદ્રમાં પર ફરવા દરમિયાન રોવર પ્રજ્ઞાનને મોટા ખાડાનો સામનો કરવો પડ્યો હતો. પછી તેને નવા રસ્તા પર મોકલવામાં આવ્યો છે. આ માહિતી ટ્વીટ દ્વારા આપવામાં આવી. તેમા કહેવામાં આવ્યુ કે ચંદ્રમાની સપાટી પર ચાર મીટરના ખાડાએ સામ-સામે આવ્યા પછી ભારતના પ્રજ્ઞાન રોવરને સુરક્ષિત રીતે પરત મોકલી દેવામાં આવ્યુ છે. આ ખાડો રોવર પ્રજ્ઞાને પહેલા જ જોઈ લીધો હતો અને પછી તેને બીજા રસ્તે મોકલવામાં આવ્યુ.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 28, 2023
On August 27, 2023, the Rover came across a 4-meter diameter crater positioned 3 meters ahead of its location.
The Rover was commanded to retrace the path.
It's now safely heading on a new path.#Chandrayaan_3#Ch3 pic.twitter.com/QfOmqDYvSF
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનને જણાવ્યુ છે કે રોવર પ્રજ્ઞાને તેની કિનારીઓથી લગભગ 3 મીટર પહેલાં ખાડો જોયો હતો; આ કારણે તેને સમયસર સલામત માર્ગે મોકલી દેવામાં આવ્યો હતો. આ છ પૈડાવાળું, સૌર-સંચાલિત રોવર પ્રમાણમાં અજાણ્યા પ્રદેશમાં ઝિપ કરશે અને તેના બે અઠવાડિયાના જીવનકાળ દરમિયાન છબીઓ અને વૈજ્ઞાનિક ડેટા ટ્રાન્સમિટ કરશે.
સમય વિરુદ્ધ એક દોડ જેવી
એક ચંદ્ર દિવસ પુરો થવામાં ફક્ત 10 દિવસ બાકી રહી ગયા છે અને સ્પેસ એપ્લીકેશંસ સેંટર (એસએસી)ના નિદેશક નીલેશ એમ. દેસાઈએ કહ્યુ કે ચંદ્રયાન-3 નો રોવર મોડ્યૂલ પ્રજ્ઞાન, ચંદ્રમાની સપાટી પર ફરી રહ્યો છે. આ સમયના વિરુદ્ધ એક દોડ જેવુ છે. ઈસરોના વૈજ્ઞાનિક છ પૈડાવાળા રોવરના માધ્યમથી અજ્ઞાત દક્ષિણી ધ્રુવનુ વધુમાં વધુ અંતર કવર કરવા માટે કામ કરી રહ્યુ છે.
