ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (13:00 IST)

રાશન કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર

રેશન કાર્ડધારકો માટે ખુશખબર છે. ‘વન નેશન વન રેશન કાર્ડ‘ હેઠળ હવે લાભાર્થીઓને સપ્ટેમ્બર મહિનામાં પોતાના પસંદના રાશન ડીલરને ત્યાંથી રાશન લઇ શકશો. એટલે હવે તમે રાશનનકટા ડીલરને પોતાની મરજી મુજબ બદલી શકો છો. એના માટે સરકારી જ્ઞાપન જારી કરવામાં આવ્યું છે. એ અનુસાર, જો કોઈ વ્યક્તિ તમારી પાસે રેશન કાર્ડને લઇ રાશન લેવા આવે, પછી તે ત્યાંનો લાભાર્થી ન હોય તો પણ તેને રાશન આપવું પડશે. બીજા ડીલરના રાશન કાર્ડધારક પણ તમારી પાસે રાશન લેવા આવે તો તેને આપવું પડશે.
 
કેટલાક રાશન ડીલરો ખૂબ જ મનસ્વી હોય છે. પરંતુ હવે આ વ્યવસ્થા બહાલ થયા બાદ હવે લાભાર્થીઓ પાસે વિકલ્પ હશે કે તેઓ આવા ડીલરો પાસેથી રાશન લેવાનું બંધ કરી દે.