શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 13 માર્ચ 2023 (12:27 IST)

Agniveer Recruitment 2023: અગ્નિવીરમાં રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ

ભારતીય સેનાના અગ્નિપથ યોજનાના હેઠણ અગ્નિવીર ભરતી 2023 માટે રજીસ્ટ્રેશન ખૂબ પહેલા 16 ફેબ્રુઆરીથી શરૂ કરી નાખ્યા છે. હવે ભારતીય સેનાની તરફથી તેના ઑનલાઈન રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈછે. તેની સાથે જ આ ભરતી માટે કેટલાક ફેરફાર પણ કર્યા છે. જેમાં અગ્નિવીર ભરતી યોજનાના હેઠણ નોકરી મળતા યુવાઓના રિટાયરમેંટને લઈને વાત કહેવામાં આવી છે. 
 
અગ્નિવીર ભરતી 2023ના હેઠણ આ વર્ષે 46 હજાર જવાનોની ભરતી કરાશે. આ ભરતીના રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ 15 માર્ચ હતી જેને વધારીને હવે 20 માર્ચ કરી નાખ્યુ છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થયા પછી તેમની પરીક્ષા મે 2023માં આયોજીત કરાશે. તેમજ આ વખતે પણ ભરતીની નવી પ્રક્રિયાના હેઠણ કરાશે.