કર્નાટકની ભૂતનાલ તળાવમાં એકસાથે 6 મૃતદેહ મળતાં ચકચાર, 4 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ
વિજયપુરા: કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં બુધવારે સવારે ભૂતનાલ તળાવમાંથી એકસાથે છ મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. મૃતકોમાં ચાર મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં આદર્શ નગર પોલીસની ટીમ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પોલીસે તળાવમાંથી તમામ મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જોકે, મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
તળાવમાં તરતા જોવા મળ્યા 6 મૃતદેહ
મળતી માહિતી મુજબ, બુધવારે સવારે સ્થાનિક લોકોની નજર તળાવના પાણીમાં તરતા મૃતદેહો પર પડી હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ આદર્શ નગર પોલીસ સ્ટેશનની ટીમ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ તમામ મૃતદેહોને તળાવમાંથી બહાર કઢાવ્યા હતા. છ મૃતદેહ મળ્યાની ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. મૃતકોની ઓળખ અને ઘટનાના કારણ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
div>#WATCH | Karnataka | Six bodies recovered from Bhutnal Lake in Vijayapura
— ANI (@ANI) August 26, 2026
Shashidhar, District Fire Officer, says, "We got information that six people had fallen into the lake here. When we got to the lake, we found six bodies floating. We have handed over the bodies to the… pic.twitter.com/TQPpgExcFD
