શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 17 એપ્રિલ 2022 (00:26 IST)

દિલ્હીઃ જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના શોભાયાત્રામાં પથ્થરમારો, 6 પોલીસકર્મી ઘાયલ, અનેક ઘારાઓ હેઠળ કેસ નોંધાયો

રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શનિવારે સાંજે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હનુમાન જન્મોત્સવ દરમિયાન શોભા યાત્રા દરમિયાન થયેલા પથ્થરમારામાં એક પોલીસકર્મી સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે જહાંગીરપુરીની બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, પોલીસનું કહેવું છે કે હાલ આ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે.
 
દિલ્હી પોલીસમાં જનસંપર્ક અધિકારીનું કામ જોઈ રહેલા ડીસીપી અન્વીસ રાયનું કહેવું છે કે જહાંગીરપુરીમાં શોભાયાત્રા દરમિયાન હંગામો થયો હતો. તેમણે કહ્યું, “હનુમાન જયંતિની શોભાયાત્રામાં ચાલતા લોકો પર પથ્થરમારો અને છૂટાછવાયા આગચંપીની ઘટનાઓ સામે આવી છે. અમારા તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર છે. પરિસ્થિતિ કાબૂમાં છે અને મામલાની ગંભીરતાને જોતા આ વિસ્તારમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.”
 
તેમણે કહ્યું કે પથ્થરબાજી દરમિયાન ઘાયલ થયેલા પોલીસકર્મીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આગની ઘટનાઓને જોતા દિલ્હી ફાયર સર્વિસની 2 ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે, દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગ કહે છે કે ઘટનાઓ ઘણી છૂટીછવાઈ હતી, તેથી ઓપરેશન ત્યાંથી રદ કરવામાં આવ્યું છે અને વાહનોને પાછા બોલાવવામાં આવ્યા છે.
 
અમિત શાહે સ્થિતિની જાણકારી લીધી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર પાસેથી સ્થિતિ જાણકારી લીધી અને લૉ એન્ડ ઓર્ડર બનાવી રાખવા માટે જરૂરી પગલાં ભરવાના નિર્દેશ આપ્યા.
 
પથ્થરમારાની આ ઘટના કુશલ સિનેમા પાસે થયો. જે બાદ ત્યાં હોબાળો થઈ ગયો છે. અનેક ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે. તો કેટલાંક પોલીસવાળા પણ ઘાયલ થઈ ગયા છે. જે બાદ મોટી સંખ્યામાં પોલીસની ટુકડી મોકલવામાં આવી છે.ગૃહ મંત્રાલય દ્વારા મળતી માહિતી મુજબ ઘટનામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો છે. ફોર્સ વિસ્તારમાં માર્ચ કરી રહી છે. હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
 
6 પોલીસકર્મી ઘાયલ, 1 સબ ઈન્સ્પેક્ટરને ગોળી વાગી 
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પથ્થરમારાની ઘટનામાં 6 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને તેમાંથી એક સબ ઈન્સ્પેક્ટરને પણ હાથમાં ગોળી વાગી છે. પોલીસનું કહેવું છે કે કોઈ બહારના વ્યક્તિએ ગોળી ચલાવી છે અને પોલીસ તરફથી કોઈ ગોળીબાર થયો નથી. ઘટના અંગે માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તોફાની તત્વો સાથે સંકળાયેલા એક બહારના વ્યક્તિ ઘાયલ થયો છે. તોફાનીઓએ એક બાઇક સળગાવી દીધી છે અને કેટલાક વાહનોના કાચ તોડ્યા છે" સૂત્રોએ જણાવ્યું હતું કે શોભાયાત્રા સાથે લગભગ 40 થી 50 પોલીસકર્મીઓ હાજર હતા