1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 જૂન 2023 (17:18 IST)

સુહાગરાતે પતિ-પત્નીના મોત મુદ્દે મોટો ખુલાસો

સુહાગરાતે પતિ-પત્નીના મોત મુદ્દે મોટો ખુલાસો - કેસરગંજના ગોહડિયા નંબર ચારના ટેપરહન પુરવામાં એક એવી ઘટના બની કે લોકો ચોંકી ગયા. ત્યાં રાત્રે સૂવા ગયેલા દુલ્હા-દુલ્હન સવારે મૃત મળ્યા. 
 
કેસરગંજ થાના હેઠણ ગ્રામ પંચાયત ગોહડિયા નંબર 4ના ટેપરાહન પુરવાના નિવાસી પ્રતાપનુ લગ્ન 30 મે 2023ને ગોહડિયા નંબર બે નિવાસી પુષ્પા પુત્રી રામાવતીના લગ્ન પૂર્ણ વિધિથી થયો. 
 
31 મેની સાંજે વહુ દેખાઈના કાર્યક્રમ પણ પુરા થયા. 31મે ની રાત્રે આશરે 11.00 વાગ્યે વર-વધુ સૂવા માટે તેમના રૂમમાં ગયા. ગુરૂવારની સવારે મોડે સુધી જ્યારે જ દુલ્હા-દુલ્હન નથી ઉઠ્યા. તો છોકરાની માતાએ બારણો ખડખડાવ્યા પણ કોઈ આવાજ નથી આવી. આખરે પરિવારવાળાએ બારણુ તોડી નાખ્યુ તો સુહાગરાતની સેજ પર જ દુલ્હા-દુલ્હનનું મોત થઈ ગયો હતો. 
 
મોતનુ કારણ રૂમમાં ઑક્સીજનની કમી જણાવવામાં આવી રહી છે. આ મામલે કૈસરગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર રાજનાથ સિંહે જણાવ્યું કે બંનેનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. જો કે હજુ પણ પોલીસને કેટલીક આશંકા છે. આ અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.