શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 14 જૂન 2022 (16:15 IST)

અંધવિશ્વાસનું જીવંત ઉદાહરણ: સારવાર માટે બાબા પાસે લઈ જવામાં આવ્યો

રાજસ્થાનના સૂરતગઢમાં બાળકની સાથે ક્રૂરતાના કેસ વધી રહ્યા છે. સારવારના નામ પર બાળકોને ડામ આપવાનો અમે મૃત બાળકને જીવીત કરવા માટે મીઠાથી ઢાકવાના કેસ સામે આવ્યા છે. એક એવુ જ બનાવ સામે આવ્યુ છે શ્રીગંગાનગરના સૂરતગઢથી જ્યાં એક બાબા દિવ્યાંગ બાળકને સાજા કરવા માટે ગરદનના નીચેના ભાગને 10 કલાક સુધી માટીમાં દબાવી દીધુ. બાળકને માટીમાં દબાવવાનો વીદિયો સામે આવ્યા પછી બાબત પોલીસ સુધી પહૉચી બાળકને બાબાથી છુડાવી લેવાયો છે. 
 
સૂરતગઢ ડિપ્ટી શિવરતન ગોદારાએ જણાવ્યુ કે અહીં બાબા જગન્નાથ દિવ્યાગ બાળજને સાજા કરવાનો દાવો કરી તેને માટીમાં દબાવી દીધું 14 વર્ષના આ બાળકને માથાથી નીચેનો આખુ શરીર 3 ફીટ સુધી માટીમાં દાટી દેવાયો. રવિવારે રાત્રે જ્યારે કેટલાક માણસો NH-62 હાઈવેથી પિપરેણ ગામ નિકળી રહ્યા હતા તો આ બાળક પર નજર પડી.