શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 15 ફેબ્રુઆરી 2022 (16:20 IST)

Russia Ukrain News- ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા

યૂક્રેનમાં બગડતા સ્થિતિ  (Ukraine News) પર ભારતની તીખી નજર છે. આવતા 24 કલાકોમાં યુદ્ધની સ્થિતિ બનતી જોવાઈ રહી છે રૂસ અને યૂક્રેનમાં તનાવ વધતો જોવાતા ભારત તેમના નાગરિકોથી કીવ છોડવા કહ્યુ છે. આ વચ્ચે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ સાંજે કેબિનેટની બેઠક કરશે.

સમજાઈ રહ્યુ છે કે યૂક્રેનમાં બનતા યુદ્ધની સ્થિતિ પર પણ ચર્ચા થઈ શકે છે. અત્યારે સુધી ભારતએ આ ટકરાવમાં કોઈ પક્ષ નથી લીધુ છે. યૂક્રેનના સપોર્ટમાં અમેરિકાના આવનાર દુનિયાના વે ધુવોમાં વહેચાયુ છે. તેથી ભારત અમેરિકા કે રૂસ  (Russia News) કોઈ કેમ્પમાં ઊભા રહેવા માંગતા નથી.

ભારત પોતાના નાગરિકોને એલર્ટ કર્યુ છે
મંગળવારે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જારી કરીને તેના નાગરિકોને ચેતવણી આપી છે. ભારતીય વિદ્યાર્થીઓને ભારત પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે. જેમના માટે તે ખૂબ મહત્વનું નથી, તેઓ અસ્થાયી રૂપે દેશ છોડી દે છે. ઉપરાંત, ભારતીય નાગરિકોને યુક્રેનની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. નાગરિકોને યુક્રેનમાં તેમની સ્થિતિ વિશે એમ્બેસીને અપડેટ રાખવા માટે કહેવામાં આવ્યું છે.
 
24 કલાકમાં હુમલાન ઓ ખતરો 
કદાચ આ જ કારણ છે કે ભારત સહિત વિશ્વભરના દેશો એલર્ટ થયા છે. ઘણા દેશોએ પોતાના નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું છે. અમેરિકાએ તેનું દૂતાવાસ કિવથી યુક્રેનના પશ્ચિમી શહેર લવીવે ખસેડ્યું છે. માનવામાં આવે છે કે જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો પહેલો હુમલો કિવ પર થશે. ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિએ ફેસબુક પર આશંકા વ્યક્ત કરી છે કે રશિયા 16 ફેબ્રુઆરીએ હુમલો કરી શકે છે. આજે નવી દિલ્હીમાં યોજાનારી કેન્દ્રીય કેબિનેટની બેઠક અથવા સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં આ ઘટનાક્રમ પર ચર્ચા થઈ શકે છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક બોલાવવામાં આવી છે.