32 શ્રદ્ધાળુઓને લઈ જતું એક કેન્ટર ડિવાઈડર સાથે અથડાયું અને પલટી ગયું, જેમાં 12 શ્રદ્ધાળુઓના મોત થયા.
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં સોમવારે વહેલી સવારે ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર યાત્રાળુઓને લઈ જતું એક કેન્ટર પલટી ગયું, જેમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને 16 થી વધુ લોકો ઘાયલ થયા. યાત્રાળુઓનું આ જૂથ રાજસ્થાનના બાગડ ધામના દર્શન કરીને બદાયૂં પરત ફરી રહ્યું હતું.
વાહન ડિવાઈડર સાથે અથડાયું અને પલટી ગયું.
બાગપત જિલ્લા મુખ્યાલયથી લગભગ ૧૫ કિલોમીટર દૂર ખેકરા કોતવાલી વિસ્તારમાં બાસી અને બડા ગામો વચ્ચે રાત્રે ૧ વાગ્યે આ અકસ્માત થયો. પોલીસે જણાવ્યું હતું કે ૩૨ યાત્રાળુઓને લઈ જતું કેન્ટર ડિવાઈડર સાથે અથડાયું અને પલટી ગયું. અકસ્માતના સમાચાર મળતાં બચાવ ટીમો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ શરૂઆતમાં છ લોકોને મૃત જાહેર કર્યા હતા.
એક ડોક્ટરે જણાવ્યું હતું કે ૨૨ ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી 18ને બાદમાં મેરઠના મેડિકલ સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વધુ છ લોકોના મોત થયા, જેના કારણે મૃત્યુઆંક 12 થયો છે; એસએસપી સૂરજ રાયે આ વાતની પુષ્ટિ કરી છે. મૃતકોમાં મુન્ની દેવી (55), સુગદપાલ (40), સાધુ (60), રામેશ્વર યાદવ (60), પ્રેમ સિંહ (40) અને 7 વર્ષીય જીતેન્દ્રનો સમાવેશ થાય છે. બાકીના પીડિતોની ઓળખ માટે પ્રયાસો ચાલુ છે.
