Ram Navami 2023- રામનવમી એટલે શું, રામનવમીનું મહત્વ શું?
Ram Navami- આ તહેવાર ભારતમાં શ્રદ્ધા અને આસ્થાની સાથે ઉજવાય છે. રામનવમીના દિવસે જ ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ પણ થાય છે. હિંદુ ધર્મ શાસ્ત્રના મુજબ આ દિવસે ભગવાન શ્રી રામનુ જન્મ થયો હતો. તેથી આ શુભ તિથિને ભક્ત લોકો રામનવમીના રૂપમાં ઉજવે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરી પુણ્યના ભાગીદાર હોય છે.
રામનવમી ભગવાન રામના જન્મોત્સવના રૂપમાં ઉજવાય છે. ભગવાન રામને આદર્શ પુરૂષના રૂપમાં પણ જાણીએ છે. પૌરાણિક કથાઓ અને વાર્તાને જાણીએ તો તમને આ જ
શીખામણ મળે છે કે એક પુરૂષનુ ચરિત્ર ભગવાન રામની રીતે જ હોવા જોઈએ. આ જ કારણ છે કે ભારતવર્ષમાં ભગવાન રામના અનુગામી ઘણા છે.
ચૈત્ર કૃષ્ણ પક્ષની નવમી તિથિના દિવસે સરયૂ નદીના કાંઠે વસેલી અયોધ્યાપૂરીમાં રાજા દશરથના ઘરમાં ભગવાન શ્રીરામનો જન્મ થયુ હતુ.
રાજા દશરથ અને તેમની ત્રણ રાણીઓ આ વાત ને લઈને ચિંતિત રહેતી હતી કે પુતર ન થતાં ઉતરાધિકારી કોણ બનશે ? એમની ચિંતા દૂર કરવા માટે ઋષિ વશિષ્ટ સલાહ
આપે છે કે તમે તમારા જમાઈ ઋંગ ઋષિથી પુત્રેષ્ટિ યજ્ઞ કરાવો આથી પુત્રની પ્રાપ્તિ થશે.
ઋંગ ઋષિનો લગ્ન રાજા દશરથની દીકરી શાંતાથી થયું હતું.રાજા દશરથે તેમની પુત્રીને રાજા રોમપાદથી ગોદ લીધો હતો. શાંતાના કહેવા પર ઋંગ ઋષિ રાજા દશરથ માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરવા તૈયાર થયાં. એનું કારણ આ હતું કે યજ્ઞ કરતાનો જીવન ભરનો પુણ્ય આ યજ્ઞની આહુતિમાં નષ્ટ થઈ જશે. રાજા દશરથે ઋંગ ઋષિને યજ્ઞ કરવાના બદલે ખૂબ ધન આપ્યું જેથી તેના પુત્ર અને ક્ન્યાનો ભરણ પોષણ થયું અને યજ્ઞથી પ્રાપ્ત ખીરથી રામ,લક્ષ્મણ,ભરત અને શત્રુઘ્નનો જ્ન્મ થયું. ઋંગ ઋષિ ફરીથી પુણ્ય અર્જિત કરવા માટે વનમાં જઈને તપસ્યા કરવા લાગ્યા.