બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 6 મે 2022 (10:58 IST)

100 પરિવારના 600 લોકોએ ઇચ્છામૃત્યું માટે હાઇકોર્ટ કરી અરજી, જાણો શું છે સમગ્ર મામલો

પોરબંદર જિલ્લાના ‘ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજ’ અગ્રણીઅલ્લારખ્ખા ઇસ્માઇલભાઇ થીમ્મર દ્વારા એક મહત્વપૂર્ણ બાબતને લઈને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવામાં આવી છે.  અરજદાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ માંગ કરાઇ છે કે, એકીસાથે એટલે કે સામુહિક રીતે 600 લોકોને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે. ઈચ્છા મૃત્યુ માટેનું કારણ આગળ ધરતા રજૂઆત કરાઈ છે કે, પાછલા 100 વર્ષથી મુસ્લિમ સમાજના લોકો ગોસાબારા ખાતે માછીમારીના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. 
 
માછીમારી માટે લાયસન્સ મેળવવા માટે પણ તેમને અનેક મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે. જાણી જોઈને આ માછીમારોને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સરકારી તંત્ર તેમને બોટ પાર્કિંગ સહિતની સુવિધાઓ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. આમ રાજ્ય સરકાર દ્વારા કરાતા ભેદભાવના મુદ્દે  100  જેટલા માછીમારોના પરિવારોએ ઈચ્છા મૃત્યુની માગણી કરી છે.
 
માછીમારોએ આ અંગે રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પોરબંદર કલેક્ટર સહિત અન્ય અધિકારીઓને આવેદનપત્ર પણ આપ્યું છે. રાજ્ય સરકારને અનેક વિનંતીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, ત્યારબાદ તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. વેકેશન બેન્ચ આ અરજી પર સુનાવણી કરશે.