1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 જુલાઈ 2021 (12:00 IST)

અમિત શાહ દિલ્હી રવાના થયા હવે મોદી ગુજરાત આવશે

આજે સવારે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ત્રણ દિવસ ના ગુજરાત પ્રવાસ બાદ દિલ્હી રવાના થયા, અને 16 મી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહયા છે, નરેન્દ્ર મોદી અમદાવાદના સાયન્સ સિટીમાં એકવાટિક અને રોબોટિક ગેલેરી, નેચર પાર્ક કેટલા પ્રકલ્પનું લોકાર્પણ કરશે અને ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર નવનિર્મિત હોટલ અને રેલ્વે સ્ટેશન ખુલ્લુ મુકશે.
 
 એપ્રિલમાં કોરોના ની બીજી ઘાતક પહેલી અસર ચાલી રહી હતી તે સમયે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં ચૂંટણી પ્રચાર અટકાવી દીધા હતા, તે પછી  પહેલી વખત ગુજરાતથી જાહેર મુલાકાતો અને પ્રવાસનો પ્રારભં કરી રહ્યા છે.
 
 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયન્સ સિટી ખાતે કેટલાક પ્રોજેકટને ખુલ્લા મુકશે  સાયન્સ સિટી ખાતે તૈયાર કરવામાં આવેલી ગેલેરીમાં કેમ શો પ્રકારના જળચર પ્રાણીઓ છે કે દેશની પહેલી ગેલેરી બની રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મૂકનારી રોબોટિક ગેલેરી કે જેમાં માનવીની દૈનિક ક્રિયાઓમા રોબોટ નો ઉપયોગ કેટલો અને કયાં થઈ શકશે તેનું નિદર્શન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત એક વિશાળ નેચર પાર્ક પણ ઉભો કરવામાં આવ્યો છે.
 
 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રેલ્વે સ્ટેશનના વિકાસની સાથે એક અધતન હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે ગાંધીનગર રેલવે સ્ટેશનના વિકાસની સાથે સાતમાળની  ચાર પ્રેસિડેન્ટ સ્યુટ સાથે બનેલી હોટલ પાછળ રૂપિયા ૩૩૦ કરોડની ખર્ચ કરવામાં આવ્યું છે.જેનું ઉદ્ઘાટન પણ નરેન્દ્ર મોદી કરશે .આ ઉપરાંત ભારત સરકારના વિવિધ મંત્રાલયના પ્રોજેકટ ના લોકાર્પણ અને ખાતમૂહર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે