1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. ambaji temple aarti and darshan timings

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

ambaji temple aarti and darshan timings
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-1 (એકમ) ગુરૂવારને તા.7 ઓક્ટોબરથી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરેલો છે. આ સમય પ્રમાણે ભક્તોએ દર્શન અને આરતીનો લાભ લેવાનો રહેશે તેમ જણાવાયું છે.
દર્શનનો સમય રહશે
આરતી સવારે 7:30 થી 8:00
દર્શન સવારે 8:00 થી 11:30
રાજભોગ બપોરે 12:૦૦ કલાકે
દર્શન બપોરે 12:30 થી 4:15
સાંજે આરતી 6:30 થી 7:00
સાંજે દર્શન 7:00 થી 9:00
નવરાત્રી અંગેનો કાર્યક્રમમાં આ પ્રમાણે રહેશે
(1) ઘટ સ્થાપનઃ- આસો સુદ-2 ગુરૂવારને તા.7 ઓક્ટોબર સમય સવારે 10:30 થી 12:00
(2) આસો સુદ-8 :- બુધવારને તા.13 ઓક્ટોબર આરતી સવારે 6:00 કલાકે
(3) ઉત્થાપન:- આસો સુદ–8 બુધવારને તા.13 ઓક્ટોબર આરતી સવારે 11:10 કલાકે
(4) વિજયાદશમી (સમી પુજન):- આસો સુદ-10 શુક્રવારને તા.15 ઓક્ટોબર સાંજે 6:00 કલાકે
(5) દૂધ પૌઆનો ભોગ: તા.20 ઓક્ટોબરને બુધવારના રોજ રાત્રે 12:00 કલાકે કપૂર આરતી
(6) આસો સૂદ પૂનમ:- આસો સુદ-15 બુધવાર તા.20 ઓક્ટોબરને આરતી સવારે 6:00 કલાકે રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
ये भी पढ़ें
ફેસબુક વ્હાટસએપ અને ઈંસ્ટાગ્રામ ડાઉન થવાથી માર્ક ઝુકરબર્ગએ એક દિવસમાં ગુમાવ્યા 45.555 કરોડ રૂપિયા