1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Ananat Ambani Birthday 10 April,

પદયાત્રા પર નિકળ્યા અનંત અંબાણી, રોજ ચાલે છે આટલા કિલોમીટર, કહ્યું કારણ

ANANT AMBANI
દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ફરી એકવાર હેડલાઇન્સમાં છે. આ વખતે તે પોતાની વૉકિંગ સફર માટે સમાચારમાં છે, જે તેણે જામનગરથી દ્વારકા સુધી શરૂ કરી છે. તેની યાત્રાને પાંચ દિવસ વીતી ગયા છે અને દરરોજ રાત્રે તે કેટલાય કિલોમીટર ચાલીને રસ્તામાં આવેલા મોટા મંદિરોના દર્શન કરે છે. આ દરમિયાન તેમણે યુવાનોને એક ખાસ સંદેશ પણ આપ્યો છે.
 
અનંત દરરોજ 10-12 કિલોમીટર ચાલે છે
અંબાણી પરિવારને ભગવાન શ્રી દ્વારકાધીશમાં અપાર શ્રદ્ધા છે અને પરિવારમાં કોઈ પણ શુભ કાર્ય થાય તે પહેલા આખો પરિવાર તેમના દર્શન કરવા આવે છે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે આ મહિને અનંત અંબાણીના જન્મદિવસ પણ છે અને તે પહેલા જ તેમણે જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા શરૂ કરી છે. અનંત અંબાણી તેમની Z Plus સુરક્ષા અને સ્થાનિક પોલીસ સાથે દરરોજ રાત્રે લગભગ 10/12 કિલોમીટર ચાલે છે અને રસ્તામાં મોટા મંદિરોની મુલાકાત લે છે.

 
60 કિમીની યાત્રા 5 દિવસમાં પૂરી કરી
અનંત અંબાણીની પદયાત્રાને પાંચ દિવસ વીતી ગયા છે અને અત્યાર સુધીમાં તેમણે 60 કિલોમીટરનું અંતર કાપ્યું છે. મુલાકાત દરમિયાન ઋષિ કુમારે વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળા વડાત્રા ખાતે અનંત અંબાણીને સંસ્કૃત શ્લોકો સાથે આવકાર્યા હતા. અનંત અંબાણી તેમના જન્મદિવસ પહેલા દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા માંગે છે. તમને જણાવી દઈએ કે અનંત અંબાણીનો જન્મદિવસ 10 એપ્રિલે છે.
 
અનંત શા માટે પદયાત્રા કરી રહ્યા છે?
જણાવ્યા મુજબ, અનંત અંબાણીની આ મહિને જન્મદિવસ છે અને તે પહેલા તેઓ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા માંગે છે. આ ઉપરાંત તેમણે તેમની મુલાકાત દરમિયાન કહ્યું કે હું યુવાનોને સનાતનમાં શ્રદ્ધા રાખવાનો સંદેશ આપવા માંગુ છું. ભગવાનના આશીર્વાદથી મને શક્તિ મળી છે અને હું 5 દિવસથી ચાલીને આવ્યો છું અને આગામી પાંચ દિવસમાં દ્વારકાધીશ મંદિર પહોંચીશ.
આગળનો લેખ
ગુજરાતના 17 જિલ્લામાં કમોસમી વરસાદનું એલર્ટ, 11 જિલ્લામાં પારો 40 ડિગ્રીને પાર