શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 જાન્યુઆરી 2018 (16:54 IST)

નેતન્યાહૂએ મોદીને આપી ખાસ ભેટઃ સરહદે BSFના જવાનોને મળશે શુદ્ધ પાણી

ઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ મોદીને એક ખાસ મોબાઇલવાન ભેટમાં આવી છે. આ વાન ભારત-પાકિસ્તાન સીમા પર મૂકવામાં આવશે. આ વાનથી સમુદ્રનું ખારુ પાણી પીવાલાયક બનાવી શકાય છે.ભારત-પાકિસ્તાનની સરહદે આ વાનને ખુલ્લી મૂકાઈ હતી, બાવળા ખાતેથી જ મોદી અને નેતન્યાહૂએ આ વાનને ખુલ્લી મૂકી હતી. આ વાનને કારણે બીએસએફના જવાનોને હવે શુદ્ધ પાણી મળશે.અતિ આધુનિક સુવિધાથી સજ્જ જીપની કિંમત 72 લાખ જેટલી છે.

આ જીપ 20 હજાર લીટર જેટલું સમુદ્રનું ખારું પાણી અને 80 હજાર લીટર જેટલા નદીના ગંદા પાણીને એક દિવસમાં શુદ્ધ કરી શકે છે. હાલમાં સીમા ક્ષેત્રમાં સેનાના જવાનો માટે આ જીપ દ્વારા પીવાની પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. ભૂકંપ અને પૂર જેવી પરિસ્થિતિમાં પણ આ જીપ ઉપયોગમાં આવશે. જીપનું વજન 1540 કિલોગ્રામ અને સ્પીડ 90 કિલોમીટર પ્રતિકલાકની માનવામાં આવે છે. નોંધનીય છે કે મોદી જ્યારે ઇઝરાયેલના પ્રવાસે ગયા હતા ત્યારે નેતન્યાહૂએ વોલ્ગા બીચ ખાતે તેમને આ જીપ બતાવી હતી. નેતન્યાહૂએ આ જીપને ચલાવી હતી તેમજ મોદીએ તેમા સવારી પણ કરી હતી. આ જીત દ્વારા બંને દેશના પીએમની હાજરીમાં ખારા પાણીને મીઠુ કરીને ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું.