1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (12:35 IST)

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના દંડક બન્યા સી જે ચાવડા

CJ chavda
ગુજરાત કોંગ્રેસે ધારાસભ્ય સી જે ચાવડાને રાજ્ય વિધાનસભામાં દંડક તરીકે નિયુક્ત કર્યા છે. પાર્ટીએ બજેટ સત્ર પહેલા અનેક નિમણૂંકો કરી છે. ડેપ્યુટી દંડક તરીકે ત્રણ ધારાસભ્યો હશે. જેમાં પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો સમાવેશ થાય છે.
 
ચાર ધારાસભ્યોને પ્રવક્તા બનાવવામાં આવ્યા છે, જેમાં ડો. તુષાર ચૌધરી (ખેડબ્રહ્મા), જીજ્ઞેશ મેવાણી (વડગામ), ગેની ઠાકોર (વાવ) અને અનંત પટેલ (વાંસદા)નો સમાવેશ થાય છે. દિનેશ ઠાકોરને ખજાનચી અને દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને મંત્રી બનાવવામાં આવ્યા છે.
 
અમિત ચાવડાને વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે પહેલાથી જ નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી હવે દંડક તરીકે ધારાસભ્ય સી.જે. ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ત્રણ ધારાસભ્યો ડો.કિરીટ પટેલ, વિમલ ચુડાસમા અને ઈમરાન ખેડા વાલાને ડેપ્યુટી દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
 
આ ઉપરાંત ખજાનચી દિનેશ ઠાકોરને બનાવવામાં આવ્યા છે. કાંતિ બરારાને મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચાર ધારાસભ્યોને પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. જેમાં ડો.તુષાર ચૌધરી, જીજ્ઞેશ મેવાણી, ગેની ઠાકોર અને અનંત પટેલનો સમાવેશ થાય છે.અગાઉ સિનિયર ધારાસભ્ય અમિત ચાવડા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ ચુક્યા છે. તેઓ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
 
ઉલ્લેખનીય છે કે, અગાઉ વિધાનસભા કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તાની જવાબદારી પૂંજા વંશ અને વીરજી ઠુમ્મરને સોંપાઈ હતી. આ ઉપરાંત કોંગ્રેસે વિધાનસભાના 6 પ્રવકતા પણ જાહેર કર્યા હતા. જેમાં અશ્વિન કોટવાલ, ગ્યાસુદ્દીન શેખ, બળદેવજી ઠાકોરને પ્રવકતા બનાવાયા હતા. અંબરીશ ડેર, નૌશાદ સોલંકી અને કિરીટ પટેલને પણ પ્રવકતાની જવાબદારી સોંપાઈ હતી. અને નિરંજન પટેલને વિપક્ષના ખજાનચી તરીકેની જવાબદારી સોંપાઈ હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ આખું માળખું વિખેરી નાંખવામાં આવ્યું હતું.