સંબંધિત સમાચાર
- સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંઝા / પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ
- મુખ્યપ્રધાન બોલ્યા - મુસલમાનો પાસે જવા માટે 150 દેશ, હિન્દુ પાસે ફક્ત ભારત
- સી.એમ. નિવાસે ડેશબોર્ડની કમાન્ડ કંટ્રોલ વોલ બની રથયાત્રા મોનિટરીંગ વોલ, મુખ્યમંત્રીએ કર્યું રિયલ ટાઇમ મોનિટરીંગ
- અમદાવાદમાં ફાયરિંગ કરીને 8 લાખની મતાની લૂંટ, સીસીટીવીના આધારે તપાસ શરૂ
- ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનોઓએ સરકાર સમક્ષ દારૂ વેચવા લાયસન્સની માંગ કરી?
સીએમ રૂપાણીનું નિવેદનઃ ગુજરાતમાં દારૂબંધી છે એટલે દારૂ પકડાય છે
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ધમધોકાર વેચાય છે અને પીવાય છે એવી ચર્ચાઓ છે એટલું જ નહીં પરંતુ દારૂ પકડાય પણ છે ત્યારે સીએમ રૂપાણીનું એક નિવેદન સામે આવ્યું છે. જેને પગલે હાલ ચકચાર મચી ગઈ છે. દારૂ પીને ડ્રાઈવીંગ કરતા લોકો અકસ્માત પણ કરે છે અને આ માટે 122 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે ત્યારે સીએમનું આ અંગેનું નિવેદન હાલ ચર્ચામાં છે.દારૂબંધી મુદ્દે મુખ્યમંત્રી વિજયરૂપાણીએ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે એટલે દારૂ ઝડપાય છે. બીજા રાજ્યોમાં જ્યાં દારૂબંધી નથી ત્યાં આવી ઘટનાઓ નથી બનતી. નોંધનિય છે કે ગુજરાતમાં અવારનવાર દારૂ પકડાવવાની ઘટના બને છે. હાલ જૂનાગઢમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા મુદ્દે જ્યારે સીએમએ ગુજરાતમાં દારૂબંધી મુદ્દે વાત કરતા કંઇક આવું નિવેદન આપ્યું હતું.આ પહેલા પણ રાજસ્થાનના CM ગહેલોતના ગુજરાતમાં ઘેર ઘેર દારૂ વેચાય છે ના નિવેદનને પગલે આ મુદ્દો સળગી ઉઠ્યો હતો ત્યારે હાલ ગુજરાતમાં અબજોનો દારૂ વર્ષે પકડાય છે જેને પગલે CM રૂપાણીએ નિવેદન આપ્યુ હતુ જેનાથી ફરીથી આ વિવાદમાં પ્રાણ ફુકાયો છે.
