ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 જૂન 2022 (17:41 IST)

Diabetes: મગ દાળની મદદથી ડાયાબિટીસ ઘટાડી શકાય છે, આ રીતે કરો સેવન

mung daal
Moong Dal For Diabetes: ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, જેનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન અને ખોટી લાઈફસ્ટાઈલ છે. આ બીમારીથી માત્ર વડીલો જ નહી પણ યુવાઓ પણ ઝડપથી ચપેટમાં આવી રહ્યા છે.  આ એક એવો રોગ છે જેનો ઈલાજ થઈ શકતો નથી. જો કે, યોગ્ય આહાર સાથે, તમે ચોક્કસપણે તેને નિયંત્રિત કરી શકો છો.
 
ડોક્ટરના મતે જો ખાવા-પીવામાં યોગ્ય કાળજી રાખવામાં આવે તો દવાઓની જરૂરિયાત ઓછી થાય છે. જો કે, ડાયાબિટીસના દર્દીઓને ભાત, રોટલી વગેરે ઓછા ખાવાની સલાહ આપવામાં આવે છે અને દાળ વધુ માત્રામાં ખાવા માટે કહેવામાં આવે છે. પરંતુ આમાં પણ તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કઈ દાળ ખાવી જોઈએ. ઉલ્લેખનીય છે  કે પ્રોટીનયુક્ત મગની દાળ ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મગની દાળ ડાયાબિટીસના દર્દીઓ માટે કેવી રીતે ફાયદાકારક છે, સાથે જ તેનું સેવન કરવાની સાચી રીત પણ જાણીએ.
 
ડાયાબિટીઝના દર્દીઓ માટે લાભકારી છે મગની દાળ 
 
-ડાયાબિટીસના દર્દીઓ માટે  મગની દાળનું સેવનખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એવા ઘણા ગુણો જોવા મળે છે જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ  કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, મગની દાળ એ લો-ગ્લાયકેમિક ઇન્ડેક્સ ફૂડ છે જે શરીરમાં ઇન્સ્યુલિન, બ્લડ સુગર અને ફેટના લેવલને ઘટાડવામાં મદદ કરે છે.
 
 ડાયાબિટીસના દર્દીઓએ આ રીતે મગની દાળનું સેવન કરવું જોઈએ
 
જો કે તમે તેને બનાવીને મગની દાળ ખાઈ શકો છો, પરંતુ ડોક્ટરો બીજી રીતે મગ ખાવાની સલાહ આપે છે એટલે કે ફણગાવેલા મગ. આ માટે પહેલા મગને આખી રાત પલાળી રાખો. ત્યાર બાદ આ અંકુરિત મગને સવારે નાસ્તામાં ખાઓ. આ રીતે મગ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.