સંબંધિત સમાચાર
- બિલકુલ એક્શન ફિલ્મ જેવો સીન, લૂંટારૂઓનો CID પર ગોળીબાર, જીવના જોખમે પોલીસે ત્રણને પકડ્યા
- Garuda puran - શા માટે મહિલાઓએ ન કરવા જોઈએ આ ચાર કામ ?
- અમદાવાદ પહોંચ્યા રાહુલ ગાંધી- હાર્દિક પટેલની સાથે કરશે બેઠક
- 2019ના પડઘા સંભળાતા યાત્રા દ્વારા PAASને પુનર્જીવિત કરવાનો પ્રયાસ
- દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો, ઉમરગામમાં તળાવ ફાટ્યું
બાપે સાતમી વાર દિકરી જન્મતાં છરીના ઘા મારીને હત્યાં કરી નાંખી
એક બાપ માટે દિકરી શું હોઈ શકે. બાપ દિકરીનો સંબંધ અનેરો છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ પવિત્ર સંબંધ બદનામ થતો રહે છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરમાં બન્યો છે. એક પિતાને તેની ચાર દિવસની બાળકીને હત્યા કરી નાખી.હજી થોડા સમય પહેલાં જ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ પિતાએ છરીના ઘા મારી બાળકીની હત્યા કરી નાખી. પોલીસને જ્યારે હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું તો તે પણ ચોંકી ગઈ હતી.આ મામલે ગાંધીનગરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. પોલીસનું કહેવું છે કે, પત્નીએ સાતમી વાર દીકરીને જન્મ આપ્યો હોવાથી તે ગુસ્સે થયો હતો અને આવેશમાં આવીને તેને મારી નાખી હતી. સારવાર માટે લવાયા બાદ બાળકીનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જ્યારે પોલીસે બાળકીની હત્યા કરનારા પિતાની ધરપકડ કરી છે.
