સંબંધિત સમાચાર
- 300 કરતાં વધુ ચોરીને અંજામ આપનાર ગેંગ ઝડપાઇ, 2 લાખનો મુદ્દામાલ કબજે
- અમદાવાદના ગોતામાં પાણીની ટાંકી ધરાશાયીઃ ફાયર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે
- પરીક્ષા કોભાંડ: બિન સચિવાલયની પરીક્ષામાં સુરેન્દ્રનગર સેન્ટરમાં પેપરના સીલ તૂટેલા નીકળતા હોબાળો
- ભયજનક ઈમારતો, જર્જરિત સ્ટ્રકચરો અને તંત્રની બેદરકારીમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે
- ભાજપમાં ભભૂકતો ભારે જૂથવાદઃ- સંગઠનમાં મામકાઓને પદ, સંનિષ્ઠ કાર્યકરોની બાદબાદી
નરેન્દ્ર મોદીએ કર્યા શરદ પવારની પાર્ટીના વખાણ
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન તૂટ્યું છે અને સરકાર બનાવવાનું કોકડું ગુંચવાયેલું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરદ પવારની નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના અને બીજુ જનતા દળના વખાણ કર્યા છે.
તેમણે રાજ્યસભાના 250માં સત્રમાં ભારતીય રાજનીતિમાં રાજ્યસભાની ભૂમિકા પર વાત કરી હતી.
સંસદમાં વિરોધ દર્શાવવા માટે સ્પીકર સામે આસન સુધી ધસી આવી નારેબાજી કરવાના ચલણનો ઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ બીજેડી અને એનસીપી પાસેથી આ અંગે શીખવાની જરૂર છે.
એમણે કહ્યું કે આ બે પક્ષોના સભ્યો આસન સુધી ધસી નથી આવતા. તેઓ નિયમનું પાલન કરે છે તે છતાં તેમનો રાજકીય વિકાસ અટક્યો નથી.
નરેન્દ્ર મોદીએ એ પણ એકરાર કર્યો કે ભાજપ જ્યારે વિરોધ પક્ષ હતો ત્યારે તેમની પાર્ટીના સભ્યો પણ એવું કરતા હતા અને તેમની પાર્ટી તથા અન્ય પક્ષોએ NCP- BJD પાસેથી શીખવું જોઈએ.
