બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 માર્ચ 2023 (11:36 IST)

હળવાશમાં લેશો નહી H3N2 ઇન્ફ્લુએંઝા વાયરસ, જાણો કેટલા લોકોએ ગુમાવ્યા જીવ

H3n2 virus
ભારતમાં H3N2 વાયરસના કારણે ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે આ ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કારણે ગુજરાતમાં 58 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. તેઓ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ સાથે જ આ વાયરસના કારણે ભારતમાં અત્યાર સુધીમાં કુલ સાત લોકોના મોત થયા છે. આ રોગને કારણે આરોગ્ય નિષ્ણાતોએ લોકોને સાવચેતીનાં પગલાં લેવાનું સૂચન કર્યું છે.
 
માસ્કનો ઉપયોગ કરો
H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી બચવા માટે ડોકટરોએ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ડોક્ટરોનું કહેવું છે કે, વાયરસથી બચવા માટે લોકોએ સતત હાથ ધોતા રહેવું જોઈએ, સાથે જ વર્ષમાં એકવાર ફ્લૂની રસી પણ લેવી જોઈએ.
 
IDSP-IHIP (ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફર્મેશન પ્લેટફોર્મ) પર ઉપલબ્ધ તાજેતરના ડેટા મુજબ, રાજ્યોએ 9 માર્ચ સુધી H3N2 સહિત ઈન્ફલ્યુએન્ઝાના વિવિધ પેટાપ્રકારના કુલ 3,038 પુષ્ટિ થયેલા કેસ નોંધ્યા છે. જેમાં જાન્યુઆરીમાં 1,245 કેસ, ફેબ્રુઆરીમાં 1,307 અને 9 માર્ચ સુધી 486 કેસ સામેલ છે.
 
આરોગ્ય નિષ્ણાતોએ શું કહ્યું?
આરોગ્ય નિષ્ણાતોએ લોકોને વાયરસથી બચવા માટે જાહેર પરિવહન, હોસ્પિટલ, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અને અન્ય જાહેર વાહનો જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં ફરીથી માસ્ક પહેરવાનું કહ્યું છે. લોકોને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે.
 
H3N2 અને H1N1 બંને પ્રકારના ઈન્ફલ્યુએન્ઝા E વાયરસ છે, જેને સામાન્ય રીતે ફ્લૂ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક સૌથી સામાન્ય લક્ષણોમાં લાંબા સમય સુધી તાવ, ઉધરસ, વહેતું નાક અને શરીરમાં દુખાવોનો સમાવેશ થાય છે. પરંતુ ગંભીર કિસ્સાઓમાં લોકો શ્વાસ લેવામાં તકલીફ અને/અથવા ઘરઘર પણ અનુભવી શકે છે.
 
કર્ણાટકમાં કોરોના ત્રાટક્યો
કર્ણાટકમાં કોવિડ કેસને લઈને તેનો આંકડો 500ને પાર કરી ગયો છે. 13 માર્ચ, 2023 સુધીમાં, રાજ્યમાં કોવિડના કુલ 510 સક્રિય કેસ મળી આવ્યા છે અને સોમવારે રાજ્યમાં 62 નવા કેસ નોંધાયા છે. 12 માર્ચે તેનો હકારાત્મકતા દર 4.5% હતો, જ્યારે તેનો એકંદર સાપ્તાહિક પોઝિટિવિટી રેટ દર 2.60% હતો.