શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 માર્ચ 2022 (12:50 IST)

ડાકોરમાં ફાગણના મેળાને લઇને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમડ્યું, ગુંજી ઉઠયો "જય રણછોડ માખણ ચોર' નો નાદ

હજારો શ્રદ્ધાળુઓ ડાકોર ધામ પહોંચવા માટે રસ્તાઓ પર જય રણછોડના નારા લગાવતા આગળ વધી રહ્યા છે. ડાકોર પણ મોટી સંખ્યામાં યાત્રિકો પહોંચી ગયા છે, જેના કારણે અહીંની શેરીઓમાં ભક્તોની ભીડ દેખાવા લાગી છે. આ સાથે જ વિવિધ ભજન મંડળીઓ સહિત પદયાત્રીઓનો કાફલો ડાકોર તરફ જતા માર્ગો પર હાજર છે. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને જોતા મંદિર પ્રશાસન સંપૂર્ણ રીતે એલર્ટ છે.
 
હાલ બે વર્ષ કોરોના ની મહામારી ના કારણે ડાકોર ફાગણી પૂનમ નો મેળો બંધ હતો પરંતુ આ વર્ષે કોરોના નો પ્રકોપ ઓછો થતાં રાજ્ય સરકાર દ્વારા મેળાવડા ની મંજૂરી આપવામાં આવતા દર વર્ષે પગપાળા ડાકોર જતાં હરિભક્તો માં ખુબ આનંદ લાગણી જોવા મળી રહી છે.
 
કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ ડાકોર ખાતે ફાગણી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે ઠેકઠેકાણેથી શ્રદ્ધાળુઓ પગપાળા અહીંયા ઉમટે છે. શ્રદ્ધાના આ મહાસાગરમાં શ્રદ્ધાળુઓ તરબોળ બની રણછોડજીની ભક્તિમાં લીન બને છે. ફાગણી પૂનમને આડે હવે ગણતરીના કલાક બાકી છે ત્યારે ભક્તોનો અવિરત પ્રવાહ ડાકોર તરફ આગળ વધી રહ્યો છે. પદયાત્રિકો ભૂખ, તરસ, થાકને ભૂલી જય રણછોડના જય ઘોષ સાથે ડાકોરના ઠાકોરને મળવા આતૂર બન્યાં છે.  
 
મંદિર પ્રશાસન દ્વારા લાવવામાં આવેલ ધ્વજને સ્વીકારવા માટે ડાકોર મંદિરના મુખ્ય પ્રવેશદ્વારની બહાર રઝા કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. સવારથી 12 વાગ્યા સુધી ભગવાન રણછોદયના મંદિરે ગજાથી માંડીને નાના-મોટા 75થી વધુ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. ધ્વજ અર્પણ કરવાની પ્રક્રિયા સાંજ સુધી ચાલુ રહી હતી. શરૂઆતમાં, ગામની શેરીઓમાં ભારે ભીડ જોઈને વહીવટીતંત્રે પૂર્ણિમા અને ધુળેટી પર મોટી સંખ્યામાં ભક્તોના આગમનનો અંદાજ લગાવ્યો હતો. અગિયારસથી ફાગણી પૂનમ સુધીમાં ડાકોરના ઠાકોરના દર્શન કરવા શ્રદ્ધાળુ ભકતો પગપાળા સંઘ લઈ ડાકોર તરફ જવા રવાના થઈ ગયા છે.  આ ભક્તિમાર્ગ "જય રણછોડ માખણ ચોર ના નાદ સાથે ગુંજી ઉઠયો છે. ધોળી ધજા સાથે યુવાનો, બાળકો તથા અન્ય લોકો ડાકોર તરફ આગળ ધપી રહ્યા છે.
 
આ ભીડને અંકુશમાં લેવા અને સુવિધા માટે તૈયારીઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા બુધવારે સવારથી જ રાહદારીઓના તમામ રસ્તાઓ પર પોઈન્ટ સ્ટાર્ટ કરીને વ્યવસ્થા કરવામાં આવી છે. ડાકોરમાં મોડી રાતથી જ પદયાત્રીઓનું આગમન શરૂ થઈ ગયું છે. ડાકોર નજીકના સેવા કેન્દ્રો અને આરામગૃહોમાં ભક્તો આરામ કરતા જોવા મળ્યા હતા. ઘણી સેવાલક્ષી સંસ્થાઓએ તેમને પ્રાથમિક સુવિધાઓ સાથે ભોજન અને નાસ્તા વગેરેની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું છે.
 
જિલ્લા વહીવટીતંત્ર સહિત સ્થાનિક વહીવટીતંત્ર અને નગરપાલિકાએ આ કાર્યક્રમની તૈયારીઓ કરી લીધી છે. વિવિધ ટીમો દ્વારા કામનું વિતરણ કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંદિરની નજીક એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. પાલિકાએ કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે. મંદિર પ્રશાસનનો પ્રયાસ છે કે હજારોની સંખ્યામાં આવતા ભક્તોને સારા દર્શનનો મોકો મળે, જ્યારે એક પણ ભક્ત દર્શન કર્યા વિના પાછા ન જાય. સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસે તેમની ટીમ તેમજ હોમગાર્ડને તૈનાત કર્યા છે. બીજી તરફ પાલિકા દ્વારા એક ડઝનથી વધુ મોબાઈલ ટોઈલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી પણ સોંપવામાં આવી છે.

રણછોડરાય મંદિરનો દર્શન સમય 
 
17, માર્ચ, 2022, ફાગણ સુદ 14 માટે દર્શનનો સમય નીચે મુજબ રહેશે.
 
05.05 AM થી 7.30 AM - મંગળા દર્શનનો સમય.
 
08.05 AM થી 1.30 PM - શ્રુંગારભોગ દર્શન સમય.
 
02.05 PM થી 5.30 PM - રાજભોગ દર્શન સમય.
 
08.05 PM થી 8.0 PM - ઉત્થાપન દર્શન સમય.
 
08.20 PM શયનસેવા અને દર્શન બંધ.
 
18, માર્ચ, 2022, ફાગણ સુદ 15, દોલોત્સવ માટે દર્શનનો સમય નીચે મુજબ રહેશે.
04.05 AM થી 8.30 AM - મંગળા દર્શનનો સમય.
 
સવારે 09.00 થી બપોરે 1.00 વાગ્યા સુધી - ફૂલડોલ દર્શનનો સમય.
 
બપોરે 01.00 થી 2.00 PM - શ્રુંગારભોગ દર્શન સમય.
 
03.35 PM થી 4.30 PM - રાજભોગ દર્શન સમય.
 
05.20 ઉત્થાપન દર્શન અને પછી દર્શન બંધ