ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (21:19 IST)

Junagadh News - રોજબરોજના કંકાસથી કંટાળેલી પત્નીને વ વપતિની ઉંઘમાં જ કરી નાખી હત્યા

સમાજમાં રોજબરોજ ક્રાઈમના કેસ વધતા જઈ રહ્યા છે. કોઈપણ સંબંધમાં વિશ્વાસ કે પ્રેમ રહ્યો નથી એવા દિવસો આવી ગયા છે કહેવુ અતિશયોક્તિ નથી. સંતાન જ માતા પિતાની હત્યા કરી નાખે છે તો ક્યાક પતિ કે પત્ની શંકા કે  લગ્નેતર પ્રેમ સંબંધોના ચક્કરમાં એક બીજાની હત્યા કરી નાખતા કેસ આજે સૌને ખૂબ સામાન્ય લાગી રહ્યા છે પણ એકવાર વિચાર કરજો કે શુ આવા સમાચાર ખૂબ રસપૂર્વક વાચીને તમે ભૂલી જાવ છો કે પછી તેનુ ચિંતન કરો છો.  તમે તમારા સંબંધોને જોઈને એક હાશકારો અનુભવો છો કે પછી તમારા સંબંધોને મજબૂત બનાવવાની કોશિશ કરો છો. ક્રાઈમના સમાચાર આપવાનો ઉદ્દેશ્ય સમાજને લાલબત્તી બતાવવાનો હોય છે. આવા જ સમાચારમાં વધુ એક સંબંધોની હત્યાનો કેસ સામે આવ્યો છે. 
 
જુનાગઢમાં વકીલની હત્યાનો મામલે ચોંકાવનારી હકીકત સામે આવી છે.  વકીલ નિલેશ દાફડા નામના વકીલની ગઈ કાલે હત્યા થઈ હતી.  હત્યા પણ કોઈ અન્ય નહી પણ  વકીલની પત્નીએ જ કર્યાનું સામે આવતાં ખભળાટ મચી ગયો છે. પત્નીએ જ ઘર કંકાસને કારણે કંટાળીને પત્નીની હત્યા કરી નાખી હતી 
 
મૃતક વકીલ પત્ની કાજલ અને 5 વર્ષના પુત્ર તેમજ 2 વર્ષની પુત્રી સાથે રહેતો હતો. તેમના પિતાનું 17 એપ્રિલ 2021ના ન્યુમોનિયાથી અવસાન થયું હતું. જ્યારે માતા અલગ મકાનમાં રહે છે. પત્નીએ પહેલા પતિને કોફીમાં ઝેર આપીને મારવાની કોશિશ કરી પણ તેમા સફળ ન થતા તેણે પતિની ઉંઘમાં જ હત્યા કરી નાખી. 
 
જુનાગઢમાં વકીલની હત્યાનો મામલે ચોંકાવનારી હકીકત સામે આવી છે.  વકીલ નિલેશ દાફડા નામના વકીલની ગઈ કાલે હત્યા થઈ હતી. હવે વકીલની પત્નીએ જ હત્યા કર્યાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પત્નીએ જ ઘર કંકાસને કારણે કંટાળીને પત્નીની હત્યા કરી નાંખી હતી. પતિ-પત્નીના આ ઘરકંકાસમાં બે માસુમ બાળકો પરથી માતા-પિતાની છત્રછાયા ઉડી ગઈ છે.