રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 જુલાઈ 2020 (10:45 IST)

આદિવાસીઓને ઉશ્કેરવાનો આરોપ, ગુજરાત એટીએસે 3 લોકોની કરી ધરપકડ

ઝારખંડમાં વાંછિત અને ગુજરાતમાં આદિવાસીઓને રાજ્ય સરકાર વિરૂદ્ધ ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહેલા ત્રણ નક્સલીઓને ગુજરાત એટીએસની ટીમે ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોની ઓળખ સામૂ ઓરૈયા, બિરસા ઓરૈયા અને બબીતા કાચપના રૂપમાં કરવામાં આવી છે. આ તમામ ઝારખંડથી છે.
 
એટીએસએ કહ્યું કે સામૂ અને બિરસા ઓરૈયાને આદિવાસી વિસ્તારવાળા ટોપી જિલ્લાના વયારૂ તાલુકામાંથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બબીતાને મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણે વિરૂદ્ધ રાજદ્રોહ અને કાવતરાની કલમો નોંધી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 
 
ગુજરાત એટીએસના જણાવ્યા અનુસાર ત્રણેય ઝારખંડના પત્થલગડી આંદોલન સાથે જોડાયેલા છે. પત્થલગડી આંદોલનમાં એક સરકારી આદેશની અવગણના કરવામાં આવે છે અને એક નિશ્વિત ભાગમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓને પ્રવેશ પણ અટકાવી દેવામાં આવે છે. 
 
ગુજરાત એટીએસ હવે ગુજરાતમાં તેની લીંક શોધી રહી છે. તમને જણાવી દઇએ કે ગુજરાતના આદીવાસીઓમાં પણ ક્યારેક ક્યારેક નક્સલી ગતિવિધિઓ અને પત્થલગડીના સમાચાર સામે આવે છે. 
 
ગુજરાત એટીએસે આ ત્રણેય લોકો વિરૂદ્ધ આઇપીસી કલમ 124-એ લગાવી છે. આઇપીસીની કલમ 124-એ રાજદ્રોહ સંબંધિત છે અને તેના હેઠળ આજીવન કારાવાસની જોગવાઇ છે. તેના હેઠળ તેમના વિરૂદ્ધ આઇપીસી કલમ 120-બે એટલે કે ગુનાહિત ષડયંત્ર રચવાનો પણ આરોપ લગાવ્યો છે.